રવિવાર સાંજના 6 કલાક સુધી ચોક્કસ રસ્તા પર અવર-જવર બંધ, વૈકલ્પિક ટ અપાયા : આજે જામનગર તેમજ લાલપુર બાયપાસથી મેઘપર, પડાણા સહિતના અનેક રસ્તા બંધ: ખંભાળીયા બાયપાસથી સાત રસ્તા સુધીનો રસ્તો વાહનો માટે બંધ: વૈકલ્પિક ટ જાહેર કરાયા: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પડાયું
આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય આથી તેમના પ્રવાસ ટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તા.1 થી ર રોજ સાંજે 4 થી તા. ર ના સાંજના 6 સુધી અમુક રસ્તાઓ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. વડાપ્રધાનનાં રોકાણને કારણે સંખ્યાબંધ રસ્તા બંધ થવાથી વાહનોની અવર જવર માટે વૈકલ્પિક ટ જાહેર કરાયા છે.
ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (1) (ખ) અન્વયે તમામ પ્રકારના ભારે વાહનો માટે લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ - નાઘેડી પાટીયા - ગોરધનપર પાટીયા - સરમત પાટીયા -સીક્કા પાટીયા મેઘપર પડાણા ત્રણ રસ્તા સુધી રસ્તો બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે મેઘપર પડાણા ત્રણ રસ્તા પડાણા - કાનાલુસ ફાટક - સેતાલુસ આરબલુસ - મેઘનું ગામ પીપળી - ખોજા બેરાજા ચન્દ્રગઢ - ચંગા પાટીયા ત્રણ રસ્તા - દરેડ ગામ - લાલપુર બાયપાસ તરફનો ડાયવર્ઝન ટ ઉપયોગમાં લેવાનો રહેશે.
આ જાહેરનામામાં ટુ/વ્હીલર ફોર વ્હીલર વાહનો માટે સાત રસ્તાથી ટાઉનહોલ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વૈકલ્પિક ટ તરીકે ઓશવાળ હોસ્પીટલ સર્કલ તરફથી આવતા વાહનો એસ.ટી. ડેપો થઇ તળાવની પાળ-ટાઉન સર્કલ તીનબત્તી થઇ અંબર છત્રી- જી.જી. હોસ્પિટલ તરફનો ડાયવર્ઝન ટ તથા વિનુ માંકડના સ્ટેસ્યુ થી તુલશી હોટલ અને તુલશી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીના રસ્તાના વૈકલ્પિક ટ તરીકે ગુરુદ્વારા સર્કલથી અંબર સર્કલ - ઝુલેલાલ મંદીર - તીનબતી થઇ બેડી ગેઇટ તરફ જવાનો રસ્તો અને તુલસી હોટલથી લીમડાલાઈન તીનબત્તી સુધીના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ચેતક ટ્રાવેલર્સ-મીગ કોલોનીથી પત્રકાર કોલોની સુધીના રસ્તાના વૈકલ્પિક ટ તરીકે તળાવના પાછળના ભાગના રોડ પર થઇ જય માતાજી હોટલ તરફ જવાનો રસ્તો, ખંભાળીયા બાયપાસ થી દિગ્જામ સર્કલથી સંતોષી માતાજીના મંદિર - સાતરસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા સમર્પણ સર્કલ તરફ આવતા વાહનો માટે ખંભાળીયા બાયપસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની- પવનચક્કી તરફનો ડાયવર્ઝન ટ તેમજ ખંભાળીયા બાયપાસ-લાલપુર બાયપાસ- ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ સુધી તથા પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદીર તરફ આવતા વાહનો માટે સત્યમ હોટલ થી સત્યસાંઇ સ્કુલ-હનુમાન ગેઈટ ચોકી થઈ ગુરૂદ્વારા છત્રી-તુલસી હોટલ-લીમડા લાઇન-તીનબત્તી તરફનો ડાયવર્ઝન ટ જાહેર કરવામાં આવ્યો છે.
એરફોર્સ ગેઇટ થી મહાકાળી સર્કલ- દિગ્જામ સર્કલ સુધીનો રૂટ બંધ રહેતા ટુ-વ્હિલર/ફોર વ્હિલર વાહનો માટે જોડીયા ભૂંગા-બેડી મરીન પોસ્ટે-પંચવટી બ્રુક બોંડ સર્કલ - ડી.કે.વી. સર્કલ - જી.જી.હોસ્પિટલ અંબરછત્રી - તીનબત્તી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ અંબર છત્રી થઇ સુભાષબ્રીજ તરફનો રોડ વૈકલ્પિક ટ જાહેર કરવામાં આવ્યા છે.
ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જર જણાયે મુક્તિ આપવાની રહેશે.
કોર્ટ કાર્યવાહી માટે તેમજ લાલ બંગલા સંકુલ આસપાસની સરકારી કચેરીમાં અગત્યના કામે આવતા કર્મચારી/અધિકારી/વકીલો તથા સામાન્ય લોકોની ખરાઇ કરીને અવર-જવરની વૈકલ્પિક રસ્તા પરથી જરી મૂક્તિ આપવાની રહેશે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(6) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે સંબંધિત થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech