જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા. જેમાં સુરતના શૈલેષભાઈ કળથીયાએ પણ જીવ ગુમાવ્યો છે. આજે સવારે મૃતક શૈલેષભાઈ કળથીયાની સવારે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષભાઈ કળથીયાએ ઘટનાના એક દિવસ પહેલા જ સુરતમાં તેમના પિતાને ફોન કર્યો અને સ્વેટર લાવવાની વાત કરી હતી. એ પછી વહાલસોયા દીકરાનો મૃતદેહ ઘરે આવતા પરિજનો ભાંગી પડ્યા છે.
વિગતો મુજબ આતંકીઓએ શૈલેષભાઈને છાતીમાં જ ગોળી મારી હતી, તેમના મૃતદેહને મોડી રાત્રે સુરત લવાયો હતો. મોટા વરાછાના શૈલેષ હિંમતભાઈ કળથિયા પત્ની અને બાળકો સાથે રજાની ઉજવણી કરતાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ગયા હતા. જ્યાં આતંકવાદી હુમલો થતાં શૈલેષ કળથિયાનું મોત થયું છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલ શૈલેષ કળથિયાના પિતા હિંમતભાઈ કળથિયાએ કહ્યું કે મારે શૈલેષ સાથે સોમવારે વાત થઈ હતી. સોમવારે તેનો ફોન આવ્યો હતો. આ દરમિયાન શૈલેષે મને પૂછ્યું કે પપ્પા અહીં સ્વેટર સારા મળે છે તમારા માટે લઇ આવું ? મેં હા પાડી હતી અને પૂછ્યું કે ફરવાની મજા આવે છે ને? જે બાદમાં દીકરા અને દીકરી સાથે વાત કરી હતી.
મૃતક શૈલેષ કળથિયાના પિતા હિંમતભાઈ કળથિયાએ કહ્યું કે શૈલેષ અને પરિવાર મુંબઇથી કાશ્મીર ફરવા ગયા હતા. 5 દિવસનું પેકેજ હોવાથી 18 તારીખે મુંબઇથી નીકળ્યા હતા અને 23 તારીખે પાછા ફરવાના હતા પણ તે પહેલાં જ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. તેમણે લાગણીસભર અને આક્રોશ સાથે કહ્યું કે, હવે આપણે પણ આતંકીઓને એકતા બતાવવાનો સમય આવી ગયો છે.
હિંમતભાઈ કળથિયાએ ઉમેર્યું કે મારે મંગળવારે રાત્રે શૈલેષની પત્ની શીતલ સાથે વાત થઈ હતી. તેમણે મને કહ્યું હતું કે પપ્પા માતાજીની માનતા રાખી લો કે શૈલેષને કંઈ થાય નહીં. આ સાથે તેમણે કહ્યું કે જ્યારે આતંકીઓએ શૈલેષને ગોળી મારી ત્યારે તેની પત્ની અને દીકરો-દીકરી સાથે જ હતા. ગોળી વાગ્યા પછી શૈલેષ જમીન પર પડ્યો. એ પછી તેમની પત્ની શીતલ 10 મિનિટ તેમની સાથે હતી અને પાણી પીવડાવ્યું હતું પછી આર્મી આવી અને શૈલેષને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યારે શીતલ અને સંતાનોને હોટલ લઇ જવામાં આવ્યાં હતાં. જોકે શીતલને શૈલેષના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મૌખિક સુચના મળતા વધુ એક યુવાને કર્યો આપઘાત
May 01, 2025 03:23 PMસોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
May 01, 2025 03:22 PMમેદસ્વિતા ક્લિનિકનો દોઢ મહિનામાં ૬૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
May 01, 2025 03:20 PMભારતની દરિયાદિલી: પાકિસ્તાની નાગરિકોની વાપસીની સમયમર્યાદા લંબાવવામાં આવી
May 01, 2025 03:19 PMરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech