મહારાષ્ટ્ર્રમાં ચાર વર્ષના લાંબા વિલબં બાદ યોજાયેલી ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. પહેલી વાર, ભાજપ ગઠબંધનએ બહત્પમતી મેળવી છે. ૨૯ મ્યુનિસિપલ કોર્પેારેશનોમાંથી ૨૩માં ભાજપ ગઠબંધન આગળ છે. મુંબઈ, પુણે, નાગપુર અને નાસિકમાં ગઠબંધન નોંધપાત્ર લીડ મેળવી છે. તાજેતરના વલણો દર્શાવે છે કે ભાજપ ગઠબંધને ૧૧૮ બેઠકો પર આગળ છે. અગાઉ, પ્રશ્ન એ હતો કે શું રાજ અને ઉદ્ધવ ઠાકરેનું જોડાણ ભાજપને નુકસાન પહોંચાડશે, પરંતુ ચૂંટણી વલણોએ સ્પષ્ટ્ર કરી દીધું છે કે ઉદ્ધવના નેતૃત્વ હેઠળની શિવસેનાની વિદાય હવે નિશ્ચિત છે.
૨૦૧ બેઠકો માટેના વલણોમાં ભાજપ ગઠબંધન ૧૧૮ બેઠકો અને ઉદ્ધવ સેના જોડાણ ૭૦ બેઠકો જીતી રહ્યું છે. વધુમાં, કોંગ્રેસ ૧૨ બેઠકો પર આગળ છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે.
નાગપુરમાં તમામ બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે. જેમાં ૧૫૧માંથી ભાજપને ૧૧૩ બેઠક પર લીડ મળી છે. યારે કોંગ્રેસને ૩૦ બેઠક પર, શિવસેના યુબીટી અને એનસીપીને ૧– ૧ બેઠક પર લીડ મળી છે. યારે અન્યોના ખાતામાં ૬ બેઠક આવી છે.
પૂણેમાં ૧૬૫ બેઠકોમંથી ૭૫ બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી ૫૨ બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. યારે એનસીપી ગઠબંધન માત્ર ૧૮ જ બેઠક પર લીડમાં જણાય છે. યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં ૧ જ બેઠક આવી છે.
ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્ર્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ૬૦થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂકયું છે. તેમાં સૌથી વધુ બેઠક ૪૩ ભાજપ જીત્યો હતો. યારે એકનાથ શિંદેની શિવસેનાએ ૧૯ અને એનસીપીએ ૨ બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.
મ્યુનિસિપલ કોર્પેારેશનની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. બીએમસીની છેલ્લી ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. આવી સ્થિતિમાં, આગામી ચૂંટણી ૨૦૨૨માં થવાની હતી. તે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા અને વોર્ડની સીમાઓમાં ફેરફારો ચાલી રહ્યા હતા.
નવા વોર્ડ નકશા અને બેઠકોનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું હતું. બીએમસીમાં વોર્ડની સંખ્યા ૨૨૭ થી વધારીને ૨૩૬ કરવાનો પ્રસ્તાવ હતો. આ ફેરફારને કારણે જૂની બેઠકો પર ચૂંટણી યોજવી શકય ન હતી, તેથી ચૂંટણીઓ ટાળવામાં આવી હતી. જોકે, આ પ્રસ્તાવ પસાર થયો ન હતો.
મહારાષ્ટ્ર્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની જંગી જીત પર પાર્ટીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. નવી દિલ્હીમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પાર્ટીના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મહારાષ્ટ્ર્રના લોકોએ નકારાત્મક રાજકારણમાં સામેલ લોકોને યોગ્ય જવાબ આપ્યો છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મહારાષ્ટ્ર્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત સફળતા મેળવી છે. આ ચૂંટણીઓમાં મહાયુતિનો વિજય જાહેર વિશ્વાસનો સ્પષ્ટ્ર સંકેત છે. તેમણે કહ્યું કે જેન–ઝી અથવા યુવા મતદારોએ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપને ભારે મતદાન કરી જીત અપાવી છે. જેન–ઝીનો આ ટેકો પાર્ટીની નીતિઓ અને વિકાસ એજન્ડામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે
રાજ ઠાકરેના ઘરની બહાર સન્નાટો છવાયો
બીએમસી ચૂંટણીના વલણો પછી, મનસે વડા રાજ ઠાકરેના ઘરની બહાર સન્નાટો છે. મુંબઈના ૨૨૭ વોર્ડમાંથી, મનસે ફકત ૪ વોર્ડ પર આગળ છે. મુંબઈમાં, ભાજપ–શિવસેનાએ ઉદ્ધવ ગઠબંધનને પાછળ છોડી દીધું છે. ભાજપ કાર્યકરો ગુલાલ ફેંકીને આ જીતની ઉજવણી કરી રહ્યા છે.
શરદ પવારની પાર્ટીને ૨૧૦૦ વોર્ડમાંથી માત્ર ૨૪માં જ લીડ
મહારાષ્ટ્ર્ર નાગરિક ચૂંટણીના પરિણામો શરદ પવાર ગ્રુપ માટે સારા સમાચાર લાવ્યા નથી, જે એક સમયે મહારાષ્ટ્ર્રના રાજકારણનું કેન્દ્રબિંદુ હતા. મહારાષ્ટ્ર્રના ૨૦૦૦ વોર્ડના વલણો દર્શાવે છે કે શરદ પવારની પાર્ટી ફકત ૨૪ વોર્ડમાં આગળ છે. આ પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન છે. મહારાષ્ટ્ર્રમાં ઘણા શહેરો એવા છે યાં એનસીપી–એસપી (રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચદ્રં પવાર) હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલી શકયું નથી. મહારાષ્ટ્ર્રના સૌથી મોટા મ્યુનિસિપલ કોર્પેારેશન, મુંબઈમાં, એનસીપી–એસપી ફકત એક બેઠક પર આગળ છે. બીએમસી પાસે ૨૨૭ વોર્ડ છે, પરંતુ શરદ પવારની પાર્ટી ફકત એક બેઠક પર આગળ છે.