અભિનેત્રીએ હોલીવુડમાં કામ કરી આગવું સ્થાન બનાવ્યું
ભારતીય સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ખુલ્લેઆમ બધાની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમાંથી એક શોભિતા ધુલીપાલા છે, જે હવે હોલીવુડની સીડીઓ ચડી ચૂકી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રીને તેના ઘેરા રંગના કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને હંમેશા મોટી ચર્ચા થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આનો અનુભવ કર્યો છે. નેપોટિઝમ સિવાય ઘણી અભિનેત્રીઓને ત્વચાના રંગને કારણે રિજેક્શન મળ્યું છે. આવી જ એક અભિનેત્રી એટલે શોભિતા. જેને જેની ત્વચાના રંગને કારણે હિન્દી ફિલ્મમાં નહોતા લેતા, એ અભિનેત્રીએ પોતાના દમ પર મેળવ્યું છે હોલીવુડમાં સ્થાન.
શોભિતા ધુલીપાલાએ 2010માં મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2013 મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ હતી. મોડલ તરીકે કરી હતી કરિઅરની શરૂઆત.શોભિતા ધૂલીપાલાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને તેની ત્વચાના રંગને કારણે સેકડો વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો. મને મારા ચહેરા પર કહેવામાં આવતું હતું કે તું કાળી છે એટલે નહીં ચાલે.
શોભિતા ધુલીપાલાએ પણ કહ્યું હતું કે તેને ઢગલો વાર બોલીવુડમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. તેના શ્યામ રંગના લીધે કોઈ તેને ફિલ્મમાં લેવા તૈયાર નહોંતું. 1000 થી વધુ ઓડિશન આપ્યાં છતાંય બોલીવુડમાં મેળ ના પડ્યો તો ના જ પડ્યો.રંગ કાળો હોવાથી આ હીરોઈનને બોલીવુડમાં કોઈ ફિલ્મમાં લેવા, કોઈ કામ આપવા તૈયાર નહોતું. આજે હોલીવુડમાં આ ભારતીય અભિનેત્રીનો વાગે છે ડંકો. થોડા સમય પહેલા શોભિતાની પહેલી હોલિવૂડ ફિલ્મ 'મંકીમેન' રીલિઝ થઈ હતી, જેને પણ ઘણી પ્રશંસા મળી હતી. શોભિતાએ બોલિવૂડમાં અનિલ કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી, વિકી કૌશલ, વિક્રમ, ઐશ્વર્યા રાય જેવા કલાકારો સાથે કામ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech