બગસરાની મામલતદાર કચેરીમાં સવારના સમયે અરજદારો સમયસર આવી જાય છે. પરંતુ અધિકારીઓ સમયસર આવવામાં આળસ કરી જતા જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
બગસરાની અનેક કચેરીઓમાં કર્મચારીઓ સમયસર ઉપસ્થિત થતા ન હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તાજેતરમાં જ બગસરાની મામલતદાર કચેરીમાં આવું ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં કચેરી સાડા દસ વાગે શ થતા જ અરજદારો પોતાના કામ માટે લાઈન બનાવી ઉભા રહી ગયા હતા. પરંતુ મામલતદાર કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ ૧૧ વાગ્યે પણ કચેરીમાં પહોંચ્યા ન હતા. જેને કારણે બહારથી આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત અરજદારોને જવાબ આપવામાં પણ અધિકારીઓ દ્રારા તોછડું વર્તન કરવામાં આવતું હોય તેવી પણ ફરિયાદો લોકોમાંથી ઉઠી છે. સરકારી કર્મચારીઓ સમયસર ન આવવાથી લોકોના કામ પણ ટલ્લ ે ચડી જતા હોય છે. જેને કારણે બીજા દિવસે પણ લોકો ધક્કા ખાતા જોવા મળે છે. સરકારની ઢીલી નીતિને કારણે મામલતદાર કચેરીના કર્મચારીઓ બેફામ બની ગયા હોય તેને પોતાને ફરજનો ભાન કરાવવા ઉચ્ચ અધિકારીઓ રસ લે તેવી લોકો માંગણી કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech