કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાના કારણે ગુરેઝ–બાંદિપોરા હાઈવે સહિત ઘણા રસ્તાઓ બધં થઈ ગયા હતા, જેના કારણે ઘણા પ્રવાસીઓ કલાકો સુધી અટવાઈ પડા હતા. હિમવર્ષાના કારણે હિમાચલના પાંગીનો રસ્તો બધં કરવો પડો હતો. જેના કારણે માર્ગમાં મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડા હતા અને પ્રવાસીઓને વાહનોમાં જ રાત વિતાવવી પડી હતી.
જમ્મુ–કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પહાડીઓ પર વરસાદ અને હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. જમ્મુ–કાશ્મીરમાં ગુરેઝ–બાંદિપોરા હાઈવે ખોલવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમ બરફ હટાવવા માટે મશીનરી સાથે વ્યસ્ત રહી. કલાકોની જહેમત બાદ શ્રીનગર–લેહ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. કાશ્મીરના શોપિયાં જિલ્લાને રાજાૈરી અને પૂંચ સાથે જોડતા મુગલ રોડ પર માંડ વાહનોની અવરજવર શ થઈ શકી છે.
રાઝદાન પાસમાં લગભગ ૪–૫ ઈંચ હિમવર્ષા થઈ છે, જેના કારણે રસ્તાની સ્થિતિ અત્યતં ખરાબ થઈ ગઈ છે. અહીં ૨૦ વાહનો ફસાઈ ગયા હતા. બીઆરઓની ટીમે રસ્તો પુન:સ્થાપિત કર્યેા અને તમામ મુસાફરોને વાહનોની સાથે સલામત સ્થળે ખસેડા. શ્રીનગર સ્થિત હવામાન કેન્દ્રે ૧૪–૧૫ નવેમ્બરના રોજ કાશ્મીર અને જમ્મુ વિભાગના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
દિલ્હીમાં હવામાં પ્રદુષણ જેમનું તેમ
બદલાતા હવામાનને કારણે પહાડો પર ધુમ્મસ છવાયું છે તો બીજી તરફ દિલ્હી–એનસીઆરના વિસ્તારો પ્રદૂષણના કારણે ધુમ્મસમાં ઘેરાયેલા છે. મંગળવારે દિલ્હીમાં એર કવોલિટી ઇન્ડેકસ ૩૩૪ હતો. ગાઝિયાબાદ અને નોઈડા સહિત એનસીઆરમાં એર કવોલિટી ઇન્ડેક નબળી શ્રેણીમાં છે
રોહતાંગ બાદ ચંબામાં અડધો ફૂટ બરફ પડ્યો
હિમાચલના રોહતાંગ સહિતના ઊંચા શિખરો બાદ ચંબા જિલ્લામાં સાચે પર અડધો ફટ બરફ પડો હતો. જેના કારણે પાંગી રોડ બધં કરવો પડો હતો. જિલ્લા મુખ્યાલય સુધી પહોંચવા માટે લોકોએ જમ્મુ–કાશ્મીર અથવા કુલ્લુમાંથી પસાર થવું પડશે. જાહેર બાંધકામ વિભાગે બરફ હટાવવાની કામગીરી શ કરી દીધી છે. લાહૌલ–સ્પીતિ અને કુલ્લુમાં પણ હિમવર્ષાથી ઐંચા શિખરો પર સફેદ ચાદર છવાઈ ગઈ છે. કુંજમ પાસ, બરાલાચા અને શિંકુલા પાસમાં પણ તાજી હિમવર્ષા થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech