તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાની ૨૫ સભ્યોની કારોબારી જાહેર થઇ છે જેમાં રાજકોટના જય લિનેશભાઇ ગ્જ્જરને સ્થાન અપાયું છે, આ સહિત સૌરાષ્ટ્ર કચ્છના કુલ સાત યુવાનોનો સમાવેશ કરાયો છે.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.હેમાંગ જોષીએ તા.૪ એપ્રિલને શનિવારે સાંજે ૨૫ સભ્યની કારોબારી જાહેર કરી હતી જેમાં ધ્યાન રાજેશભાઈ દેશમુખ(ભરૂચ), ડૉ.યશ પટેલ (કર્ણાવતી), યશ ઘનશ્યામભાઈ ગોયાણી (સુરત), દિવ્યપાલસિંહ સોલંકી (પંચમહાલ), મહેશ્વરસિંહ રાજપુરોહિત (અરવલ્લી), ડૉ.ચિંતન માનસિંગભાઈ ચૌધરી(મહેસાણા),જય લિનેશભાઈ ગજજર (રાજકોટ) પ્રવિણ રાયમોલભાઈ દેસાઈ (કર્ણાવતી) વિશ્વદીપસિંહ જાડેજા (વલસાડ), ડૉ.રવિના વેકરિયા (સુરત)જયદેવસિંહ સોલંકી (મહીસાગર), રાજેશકુમાર તળશીભાઈ ચૌધરી (પાટણ),પાર્થ કિશોરભાઈ વિસાણી (સુરેન્દ્રનગર),ભુવી અરજણભાઈ જોગી (કચ્છ), દીક્ષિત લક્ષ્મણભાઈ ચૌધરી (બનાસકાંઠા), વિજયકુમાર ભરડા (જુનાગઢ), હર્ષદેવસિંહ ઝાલા (અમદાવાદ), દીપેશ કાતરીયા (કચ્છ)નિકુંજ હિતેન્દ્રભાઈ ઠાકર ( પાટણ), અતુલકુમાર મેહતા (સુરત), રવિ કિરીટભાઈ પટેલ (કર્ણાવતી), સન્ની અમિત શાહ(કર્ણાવતી), શાંતનું પુરણકુમાર દેસાઈ (કર્ણાવતી), અજયરાજસિંહ જાડેજા (સુરેન્દ્રનગર), અક્ષય રાજેન્દ્રભાઈ ઠક્કર (કચ્છ) સહિત કુલ ૨૫નો સમાવેશ કરાયો છે.