રાજયની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો ને પાણીના અને વીજળીના બિલના ચૂકવણા સમયસર કરવા ખાસ તકેદારી રાખવાની સુચના અપાઇ છે. સાથે જ માર્ચ એન્ડિંગ નજીકમાં આવી રહ્યું હોવાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવક વધારવા અને જાળવી રાખવા માટે વિવિધ કરની વસૂલાત પણ સમય મર્યાદામાં ૧૦૦ ટકા રકમની વસૂલાત કરવા માટે પણ સ્પષ્ટ્ર ટકોર કરવામાં આવી છે. રાય સરકારને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં અને સ્ટ્રીટ લાઇટ સહિતના વીજળીના જાહેર વપરાશનો ખર્ચ શહેરી વિસ્તારમાં ખુબ મોટો આવે છે. જેના પગલે સંબંધિત વિભાગ દ્રારા તેના બિલની વસૂલાત માટે ઉઘરાણી કરતી નોટિસો આપવા છતાં નાણાં ભરપાઇ કરવાની પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ નહીં થતી હોવાના રિપોર્ટ મળવાના પગલે આ મુદ્દે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અને તેના માટે સરકારી કરની પુરી વસૂલાતનું તત્રં ગોઠવવા માટે ચીફ ઓફિસરોને સુચના અપાઇ છે.
આ મુદ્દે જિલ્લ ા કલેકટર અને જિલ્લ ા વિકાસ અધિકારીનું ધ્યાન દોરાયું છે. આ મુદ્દો ચીફ ઓફિસરો સુધી પહોંચ્યો છે, કેમ કે નાણાં વિભાગે કર વસૂલાત માટે મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગના સચિવ તથા વિકાસ કમિશનરને જાણ કરી છે. શહેર અને તાલુકા કક્ષાની કચેરીઓમાં જાહેર સ્વચ્છતાના મુદ્દાને ગંભીરતાથી હાથ પર લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ છે.
રોજની સફાઇની સઘન વ્યવસ્થા ગોઠવવાની સાથે કર્મચારીઓ તથા અરજદારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા ઉપરાંત ઓડિટ પેરાના તુરતં નિકાલ કરવા અને કાગળ પર સરળતાથી સમજાવી શકાય તેમ ન હોય તેવા ઓડિટ પેરાના મુદ્દાઓને સરળ કરવા જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech