રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગથી ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા બાદ મહાપલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે સમગ્ર શહેરમાં આવેલા તમામ હાઇરાઇઝ બિલ્ડીંગ જેમાં કોમર્શિયલ અને રેસીડેન્સ સહિતમાં ફાયર સેફટીનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવશે.
વિશેષમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જણાવ્યું હતું કે શહેરના તમામ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીની નિયમ મુજબની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં ? તથા ત્યાં આગળ રહેલા ફાયર સેફ્ટીના સાધનો વપરાશમાં લઈ શકાય તેવા કાર્યક્ષમ છે કે નહીં? તેમજ ફાયર એનઓસી રીન્યુ કરાવેલું છે કે નહીં તે સહિતની બાબતોની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે અને કોઈપણ ક્ષતિ માલુમ પડ્યેથી તુરંત નોટિસની બજવણી કરવામાં આવશે.
નોટિસની બજવણી બાદ નોટિસમાં સુચવેલી સમય મર્યાદામાં જરૂરી પૂર્તતા કરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ચેકિંગ કરવામાં આવ્યું તેમાં મોટાભાગના કોમર્શિયલ બિલ્ડિંગમાં જ ચેકિંગ કરાયું હતું જ્યારે હવે તમામ હાઇરાઇઝ ઉપરાંત લોરાઇઝ સહિતના રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટમાં પણ ચેકિંગ શરૂ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech