જામનગરના ધરારનગરમાં રહેતી એક તરૂણીએ કોઇપણ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ધરારનગર-૨, સાતનાલા પાસે રહેતી રોઝમીન રફીકભાઇ નાયાણી (ઉ.વ.૧૬) નામની તરૂણીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઓઢણી વડે ગળાફાંસો ખાઇ લેતા જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું.
આ અંગે રફીક ગુલમામદભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી, પીએસઆઇ કે.એન. જાડેજા દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને કયા કારણસર તરૂણીએ આ પગલુ ભર્યુ એ દીશામાં ચક્રો ગતીમાન કર્યા છે.