પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ રોહિંગ્યા શરણાર્થીઓ અચાનક ગુમ થઈ ગયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો અને કેન્દ્ર સરકારને નોટિસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે જાણો છો કે તેઓ (રોહિંગ્યા) ઘુસણખોર છે. આપણી ઉત્તરીય સરહદ ખૂબ જ સંવેદનશીલ છે. દેશમાં શું થઈ રહ્યું છે તે તમે સારી રીતે જાણો છો. આમ છતાં, જો કોઈ ગેરકાયદેસર રીતે દેશમાં આવે છે, તો શું તમે ઇચ્છો છો કે અમે તેમના માટે લાલ જાજમ પાથરીએ?
રોહિંગ્યા શરણાર્થીઓ પર 16 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં 16 ડિસેમ્બરે ગુમ થયેલા પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના કેસની સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજદારે સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારને જવાબ માંગતી નોટિસ આપવા અપીલ કરી હતી, પરંતુ કોર્ટે અરજીને સીધી રીતે ફગાવી દીધી હતી.