મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ, તમિલનાડુ સરકારે કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. ચેન્નાઈ સ્થિત કંપની દ્વારા ઉત્પાદિત આ સીરપને બજારમાંથી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી અને ચેન્નાઈમાં ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ ફાર્માસ્યુટિકલ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું છે. રાજસ્થાન સરકારે ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધો છે અને કેસોન્સ ફાર્માની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન, દિલ્હી અને ચેન્નાઈના ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ કાંચીપુરમમાં એક ફાર્માસ્યુટિકલ પ્લાન્ટના ઉત્પાદન એકમનું નિરીક્ષણ કર્યું. રાજસ્થાન સરકારે રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે અને જયપુર સ્થિત કંપની કેસન્સ ફાર્મા દ્વારા ઉત્પાદિત દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરથી રાજ્યમાં તેનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કાંચીપુરમ જિલ્લામાં ઉત્પાદન પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નમૂના લેવામાં આવ્યા હતા. સરકારી પ્રયોગશાળામાંથી પરીક્ષણ બાદ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંપનીને આ સીરપનું ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે કાંચીપુરમ જિલ્લાના સુંગુવરાચત્રમમાં સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પુડુચેરીમાં દવાઓ સપ્લાય કરે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 બાળકના મૃત્યુ બાદ, તમિલનાડુ સરકારે કફ સીરપ "કોલ્ડ્રિફ" ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાન સરકારે પણ "કોલ્ડ્રિફ" કફ સિરપ અંગે પણ કાર્યવાહી કરી છે.સરકારે ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે અને જયપુર સ્થિત કંપની કેસોન્સ ફાર્મા દ્વારા ઉત્પાદિત દવાનું વિતરણ અટકાવી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તબીબી અને આરોગ્ય વિભાગે આગામી આદેશો સુધી કેસોન્સ ફાર્મા દ્વારા ઉત્પાદિત તમામ 19 દવાઓના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેક્સ્ટ્રોમેથોર્ફન ધરાવતી અન્ય તમામ કફ સિરપનું વિતરણ સ્થગિત કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે ખાસ દિશા નિર્દેશ જારી કર્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક નિર્દેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ આપવી જોઈએ નહીં. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય દ્વારા જારી કરાયેલ આ નિર્દેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે દૂષિત કફ સિરપને કારણે બાળકોના મૃત્યુ વચ્ચે આવ્યો છે. બીજી તરફ મધ્ય પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે 7 સપ્ટેમ્બરથી છિંદવાડા જિલ્લામાં શંકાસ્પદ કિડની રોગથી પીડાતા બાળકોના મૃત્યુ માટે કફ સિરપમાં "બ્રેક ઓઈલ સોલવન્ટ" ઉમેરવાને જવાબદાર ઠેરવ્યું છે. આરોગ્ય મંત્રાલયે કંપનીને લેબોરેટરી રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેની સુવિધામાં સીરપનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો છે.