ચકચારી ડુપ્લીકેટ આયુર્વેદ નશીલા સિરપકાંડમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડીયાએ આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જામીન પર મુકત કરવા અરજી કરી હતી.જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત એવી છે કે, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ કોઠારીયા ચોકડી પાસેથી અને નાગરિક બેંક ચોક ખાતે પાર્કિંગમાં ટ્રકમાંથી ડીસીબી દ્વારા તા. 01/08/2023 નાં રોજ લાખો રૂપિયાની કિંમતના નસીલા આયુર્વેદિક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ, ડોડીયા, અશોક ચૌહાણ, જયરાજ ખેરડીયા વિગેરે ધ્વારા સ્પેશ્યલ હેલ્થકેર આર્યુવેદિક ગીતાંજલી સ્પેશયલ હેલ્થ કેર આયુર્વેદિક, ઉષીરસ આસવ અરિષ્ઠ વિગેરે પ્રકારનાં હેલ્થકેર આર્યુવેદિક હર્બલ પીણામાં ઈથાઈલ આલ્કોહોલ તથા આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ ભેળવી આયુર્વેદ દવા નામે નશાકારી સીરપ્ની બોટલો ઉપર ખોટા નામવાળા બનાવટી સ્ટીકરો મારી ગુનાહિત કાવતરૂ રચી આયુર્વેદિક હર્બલ પીણાની બોટલો નંગ 72275 પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ હોય જેની કિંમત આશરે રૂા. 73,87,500/- નો આરોપીઓએ સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કામના આરોપીઓ પૈકી ધર્મેન્દ્ર ડોડીયા ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવતા હતા.બાદ ધર્મેન્દ્ર ડોડીયાએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી મુકેશભાઈ પીપળીયા હાજર રહી જામીન અરજીનો વિરોધ કરી ચાર્જશીટ બાદ કોઈ સંજોગો બદલાયેલા નથી તેવી દલીલ કરી હતી. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ સેશન્સ જજે ધર્મેન્દ્ર ડોડીયાની જામીન અરજી નામંજુર કરી છે. આ કામે સરકાર પક્ષે એપીપી મુકેશભાઈ પીપળીયાએ દલીલો કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech