જામનગરમાં રણજીત રોડ પરથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

  • January 09, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રણજીત રોડ પરથી ૫૫ વર્ષના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જેનો પોલીસે કબ્જો સંભાળી તેની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
 જામનગર ના રણજીત રોડ પર ખાદી ભંડાર પાસેથી ગઈકાલે ૫૫ વર્ષના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન પોલીસે તેનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
 મૃતકે ભૂરા કલરનો લાઇનીંગ વાળો શર્ટ તેમજ ગુલાબી પીળી અને બ્લુ કલરની લાઇનિંગ વાળું સ્વેટર, તેમજ ગ્રે કલરનું પેન્ટ પહેરેલા છે. પાતળા બાંધાનો અને આશરે ૫.૬ ની ઉંચાઇ ધરાવે છે જે અંગેની કોઈને જાણકારી હોય તો તેઓએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઇ કે. એન. જાડેજાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application