લોકમેળા સમિતિ, રાજકોટ ધ્વારા સાંસ્કૃતિક લોકમેળો આગામી તા.24 થી તા.28 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર છે. જેના પ્લોટ તથા સ્ટોલની ફાળવણી માટે અરજી પત્રક વિતરણ કરવા તથા ભરેલા અરજી પત્રક સ્વિકારવાના કાર્યક્રમની અવધી તા.26 જુલાઈ સુધી લંબાવવામાં આવેલ હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
મેળામાં યાંત્રિક રાઈડની ટિકિટના દરમાં વધારો કરાયો હોવાની બાબતે કલેક્ટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત મંજૂર કરવામાં આવી નથી.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે
પ્રાંત અધિકારી અને લોકમેળા આયોજન સમિતિના ચાંદનીબેન પરમારે જણાવ્યું છે કે ફોર્મ ઉપાડવાની અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની મુદતમાં બે દિવસનો વધારો કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મેળા માટે પ્લોટ અને સ્ટોલની કુલ સંખ્યા 250 જેટલી છે તેની સામે ગઈકાલ સાંજ સુધીમાં માત્ર 54 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 312 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે ફોર્મ ઉપાડવાનો અને ભરાયેલા ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech