પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વહેચવા અને નાખવા ઉપર જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે વચવાળાનો નિર્ણય લઇને થોડી છૂટછાટ આપવા ધંધાર્થીઓએ માંગ કરી છે.
પોરબંદરના જુદા-જુદા વિસ્તારમાં ઘાસચારો વહેચીને વર્ષોથી પોતાનુ પેટીયુ રળતા નાના ધંધાર્થીઓએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે વર્ષોથી પોરબંદર એસ.સી. સી. ગ્રાઉન્ડ, જડેશ્ર્વર મંદિર સામે આવેલ ફૂટપાથની અંદરના ભાગમાં તેમજ ઝુંડાળા વિસ્તારમાં ફાયરબ્રિગેડ પાછળ હીંગળાજ મંદિર પાસે,એ.સી.સી. ગ્રાઉન્ડના ગેટ સામે, ચોપાટી રામાપીરના મંદિર પાસે અને અલગ અલગ વિસ્તારમાં ગાયો માટે ઘાસચારાનું વેચાણ કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ બાબતે અમારા તરફથી કોઇપણ ફરિયાદ આવેલ નથી અને અમોએ અગાઉ ચોપાટી ઉપર ચકડોળનો ધંધો કરતા હતા તે બંધ કરાવી દીધેલ છે. અમો આ એક પુણ્યનું કામ કરતા હોય તે પણ પોરબંદર નગરપાલિકા તરફથી બંધ કરાવેલછે જેથી અમારી પાસે હાલમાં કોઇ ધંધો રહેતો ન હોય જેથી અમારે ભુખે મરવાનો વારો આવેલ છે.
જેથી આપને અમારી નમ્ર અરજ છે કે અમોને પોરબંદર નગરપાલિકા તરફથી ઘાસચારો ચાલુ કરી વહેચવા બાબતે તથા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરીને બાઉન્ડ્રી બનાવીને ઘાસચારો નાખવાની મંજુરી આપવા અરજ છે. જે લોકો રેકડી દ્વારા ફેરી કરીને ઘાસચારો ગલી, શેરીમાં નાખતા હોય તેમને બંધ કરવાની જર હોય.
અમે તો કોઇને નડતરપ ન થાય તે રીતે ગ્રાઉન્ડ અંદરમાં ઘાસચારાનુ વેચાણ કરતા હોય ગાયો બરાર રોડ પર ન જાય તે બાબતે અમો કાળજી રાખતા હોય અને આવી વ્યવસ્થા અમો તૈયાર હોય જેથી અમોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી આપવા અરજ છે.તેવી રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech