ભારતીય સંગીત ઉદ્યોગમાં એક યુગનો અંત આવતા, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું રવિવારે મુંબઈમાં 92 વર્ષની વયે અવસાન થયું. આ પ્રતિષ્ઠિત ગાયિકાએ 12 એપ્રિલના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છાતીમાં ઇન્ફેક્શન અને ભારે નબળાઈથી પીડાતા હતા, જેના કારણે ડોક્ટરોએ તેમના મૃત્યુને ઓર્ગન ફેલ્યોર કારણ જણાવ્યું હતું. આશા ભોંસલેના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે, અને ફિલ્મ અને સંગીત ઉદ્યોગ શોકમાં છે. ચાહકો અને સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર દિગ્ગજ ગાયિકાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આશા ભોંસલેની તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં વિદાય આપવા માટે મોટી ભીડ એકઠી થઈ "નાદિયા કે પાર" ફેમ અભિનેતા સચિન પિલગાંવકર પણ આશા ભોંસલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે અંતિમયાત્રા પહેલા શ્રદ્ધાંજલિ આપી હતી. રણવીર સિંહ પણ આશા ભોંસલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application