પોરબંદરના માધવપુર ગામે કદમકુંડ આવેલો છે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના વિવાહોત્સવ બાદ ક્ષ્મણીજીએ સ્નાન કરવા માટે જલકુંડની ઇચ્છા કરતા કૃષ્ણે એનું નિર્માણ કર્યુ હતુ.
ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ પ્રસંગ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો માધુપુરના ખાતે આજે પણ સચવાયેલા છે. માધવપુરના મધુવન ખાતે આવેલ કદમ કુંડ જેમાનું એક ઐતિહાસિક પુરાણું સ્થળ છે.
શ્રી માધવરાયજી મંદિરના કુલ ગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે કદમકુંડ ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આશરે ૫૨૦૦ વર્ષ પહેલાં મધુવન ક્ષેત્રમાં દેવી-દેવતાઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણી માતાના વિવાહોત્સવનો પ્રસંગ સંપન્ન થાય છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ ક્ષ્મણી માતાને પોતાની ઈચ્છા વિશે પૂછે છે ત્યારે ક્ષ્મણી માતા સ્નાન કરવા માટે એક જલકુંડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.માતા ક્ષ્મણીની ઈચ્છા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ઋષિમુનિઓ સાથે સ્નાન કરવા માટે જલકુડનું નિર્માણ કરે છે અને તેના પર માતાજીના પ્રિય વૃક્ષ કદમ વાવવામાં આવે છે તેથી આ કુંડનું નામ કદમકુંડ પાડવામાં આવ્યું છે. આજે પણ આ કદમકુંડનું મધુવન ક્ષેત્રમાં આવેલો છે. આ રીતે માધવપુરમાં બ્રહ્મકુંડ પણ આવેલો છે તેનું પૌરાણિક મહાત્મ્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech