પાયાની દિવાલ ઉભી કરવા પાણીનું લેવલ ઘટ્યા બાદ કોર્પોરેશન પતરા દૂર કરશે
જામનગરના રણમલ તળાવમાં આશરે સાતેક મહિનાથી પાણી વધી જતાં કોઇપણ જાતનો અકસ્માત ન થાય તે માટે કેટલાક સ્થળોએ કોર્પોરેશન દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યા હતા, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે આ પતરા ટુંક સમયમાં જ હટાવી લેવામાં આવશે અને પાયાની દિવાલ ઉભી કરવામાં આવશે તેમજ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત પ્રમાણે તા. 30 જુનના રોજ જામનગરમાં સવારે એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને વૃક્ષો પણ પડી ગયા હતા, ત્યારે રણમલ તળાવ પરિસરમાં જામ રણજીતસિંહજીની પ્રતિમા, માછલીઘર સામે, ગેઇટ નં. 4 સામે ડો. આંબેડકર ગાર્ડનમાં બે-ત્રણ સ્થળોએ પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં લોકોની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે જ્યાં જ્યાં પાયાની દિવાલ પારી તૂટી ગઇ છે ત્યાં આ દિવાલ ફરીથી કરાશે, એટલે કે પાણીનું લેવલ ઘટી ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech