જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.એસ.મકરાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ અને પ્રદીપભાઈ ડાંગરને એવી બાતમી મળી હતી કે, સુરતમાંથી બે માસપૂર્વ સગીરાને ભગાડી જનાર આરોપી હાલ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહે છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં પહોંચી આરોપી ચિરાગ ઉર્ફે ભુરીયો ભરતભાઈ મકવાણા (ઉ.વ 23 રહે. ભુવનેશ્વરીનગર સોસાયટી, ડભોઈ, સુરત) ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને સુરતમાંથી સગીરાને ભગાડી ગયો હતો જે અંગે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી સગીરાને લઈ 15 દિવસથી અહીં ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં રહેતો હતો બંને કેટરીંગ કામમાં પણ લાગી ગયા હતા. આરોપી ચિરાગ સામે અગાઉ સુરતમાં જાહેરનામા ભંગ, દારૂ સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech