પોલીસ મથકમાં મોટા ભાગે પુત્રવધુ દવારા સાસુ–સસરા સહિતના ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. પરંતુ કયારેક માથાફરેલી વહત્પ આવી આવી જતા સાસુએ પુત્રવધુ ઉપર ફરિયાદ નોંધાવી પડે છે. આવી જ એક ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે, સાસુ ઘઉં સાફ કરતા હતા ત્યારે પાછળથી આવેલી પુત્રવધુએ ફિલ્મી ઢબે સાસુને ચાદર ઓઢાડીને મમાંથી ફળિયામાં આવેલા ભો ટાંકા સુધી ઢસડી પાણી ભરેલા ભોં ટાકામાં નાખી માથે ઢાંકણ બધં કરી દીધું હતું. સાસુએ બચાવો બચાવોને બૂમો પાડતા સાસુનો અવાજ બહાર ન જાય એ માટે પુત્રવધુએ પાણીની મોટર ચાલુ કરી દીધી હતી. સદનસીબે પડોશી આવી જતા બચાવી લેવાયા હતા. આ અંગે સાસુએ પુત્રવધુ સામે ફરિયાદ
નોંધાવી છે.
અમરેલીના લાઠી રોડ ઉપર શ્યામજીનગરમાં રહેતા આશાબેન શાંતિભાઈ કુકડીયા (ઉ.વ.૫૬) નામના મહિલાએ સીટી પોલીસ મથકમાં પુત્રવધુ અક્ષીતા તેજસભાઇ કુકડીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘર કામ બાબતે અવાર–નવાર મારે અને પુત્રવધુ અક્ષિતાને ઝગડો થતો હોવાથી તેનો ખાર રાખી ગઈકાલે હત્પં ઘઉં સાફ કરતી હતી ત્યારે અક્ષિતા પાછળથી આવી ચાદર ઓઢાડી ડોકના ભાગે આટી મારી દીધી હતી. અને પગથિયે ઢસડી નીચે ફળિયામાં આવેલા અંદર ગ્રાઉન્ડ ટાકામાં નાખી દીધી હતી. મને લાઈટ થઇ હતા ટાંકામાં પાણી હોવાથી બે હાથ અને પગ દીવાલમાં ભરાવી દીધા હતા અને પાડોશીને બોલાવવા માટે બૂમો પાડતા મારો અવાજ બહાર ન જાય અને હત્પં બહાર ન નીકળી શકું એટલે પુત્રવધુ અક્ષિતા ટાકાના ઢાંકણ ઉપર ઉભી રહી ગઈ હતી અને પાણીની મોટર ચાલુ કરી દીધી હતી. અવાજ આવતા પાડોશી મહિલા આવી જતા પુત્રવધૂને કહ્યું હતું કે, ઢાંકણ ઉપરથી હટી જામ, તારા સાસુ મરી જશે તો પુત્રવધુએ ભલે મરી જાય એમ કહ્યું હતું. અન્ય પડોશી મહિલાએ અન્યોને બોલાવી મને ટાકામાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. આ બાબતે પુત્રવધુના માતા–પિતાને જાણ કરી બોલાવ્યા હતા પરંતુ એ લોકો ન આવતા અંતે ફરિયાદ કરવી પડી હતી.
વધુમાં ફરિયાદીને સંતાનમાં એક દીકરો એક દીકરી છે, જેમાં દીકરા તેજસના લ બે વર્ષ પહેલા અક્ષિતા સાથે કર્યા છે. અને પતિ નેચરલ ઓઇલ મિલ ધરાવે છે. અને મેં એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યેા છે.પોલીસે મહિલાની ફરિયાદ પરથી પુત્રવધુ અક્ષિતા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech