હવેની સુનામી સમુદ્રમાંથી નહી, હિમાલયમાંથી આવશે અને જો આમ બન્યું તો દેશની 93 લાખની વસ્તી પ્રભાવિત થશે તેમાં બે મત નથી.કેમકે માઉન્ટેન એશિયા એ એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ ઊંચાઈ પર સરોવરો આવેલા છે અને આ સરોવરો બરફ પીગળવાથી બન્યા છે. હાલમાં જ આ સરોવરોની સેટેલાઈટ ઈમેજ સામે આવતા નવો જ ખુલાસો થયો કે સરોવરોની સંખ્યા અનેકગણી વધી ગઈ છે અને જો આ સરોવર ફાટે તો કેદારનાથમાં આવેલા પ્રલય કરતા પણ વધુ વિનાશ થાય.
હિમાલય વિસ્તારમાં બરફ ઝડપથી પીગળતો જઈ રહ્યો છે. તેના કારણે ત્યાં ગ્લેશિયરની સંખ્યા અને કદ બંનેમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકોના તાજા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ સરોવરો ફાટી નીકળે તો નીચેના વિસ્તારોમાં ભારે પૂર આવી શકે છે.
અભ્યાસ મુજબ હિમાલયમાં હજારો સરોવરો છે, જે બરફ પીગળવાથી બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તાપમાન વધવાને કારણે હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે. આ પીગળેલો બરફ સરોવરોના રૂપમાં સંગ્રહિત થાય છે, જેના કારણે સરોવરો મોટા અને વધુ જોખમી બની રહ્યા છે.
આ સરોવરોની પાછળ કુદરતી રીતે બનેલા બાંધ હોય છે, જે માટી અને પથ્થરથી બનેલા હોય છે. આવા બાંધ ખૂબ મજબૂત નથી. જ્યારે વધારે પાણી ભેગું થાય છે અથવા ભારે વરસાદ પડે છે ત્યારે આ બાંધ તૂટી શકે છે. બાંધ તૂટતા જ ઝીલનું પાણી એકસાથે નીચેની તરફ વહી આવે છે અને ભારે પૂર સર્જાય છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આવા પૂરથી નદીઓ ઊફરાય છે, ગામો ડૂબી જાય છે, રસ્તા અને પુલ તૂટી જાય છે અને ખેતીને ભારે નુકસાન થાય છે. હિમાલયની આસપાસ રહેતા લાખો લોકો આ જોખમવાળા વિસ્તારોમાં રહે છે, જેથી તેમના જીવ અને માલમત્તા પર મોટું સંકટ ઊભું થઈ શકે છે.
અગાઉ પણ હિમાલય વિસ્તારમાં આવા પૂરથી મોટી તબાહી થઈ ચૂકી છે. તેથી નિષ્ણાતો માને છે કે આ સમસ્યાને હવે હલકી રીતે લઈ શકાય નહીં. જો સમયસર પગલાં ન લેવાય તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
વિજ્ઞાનીઓએ સરકારોને સલાહ આપી છે કે ગ્લેશિયર પર સતત નજર રાખવામાં આવે, પાણીનું સ્તર માપવામાં આવે અને જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે આપત્તિ સમયે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના પણ તૈયાર રાખવાની જરૂર છે.