શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટનો દાદર ધડાકા સાથે પત્તાના મહેલની માફક ઢગલો થયો ગયો હતો. મરામતનું કામ ચાલી રહ્યુ હતું. અને બેલદારો, કડીયા ચા પિવા ખોટી થયા હતા. એ સમયે જ ધડાકો થયો હતો. સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જર્જરિત એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી, ઘટનાના પગલે ૧૬ વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ચોમાસાના આરંભે મહાનગર પાલિકા દ્વારા અનેક ફ્લેટ, મિલકતોને નોટિસો ફટકારી હતી, જર્જરિત મિલકતો ખાલી કરવા અથવા ઈજનેરનું સટીફિકેટર રજુ કરવા તાકિદ કરી હતી, જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં ગીતા ચોક પાસે આવેલો ઋષભદેવ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. ફ્લેટ સંભવત: વર્ષ ૧૯૯૦-૯૨ આસપાસ બનાવાયો હતો, હાલમાં ખખડધજ એપાર્ટમેન્ટનું હાલ મરામત કામ ચાલી રહ્યું છે.દરમિયાનમાંએપાર્ટમેન્ટના માળનો દાદર ધડાકા સાથે નીચે પડયો હતો. ત્રણ માળિવા ઋષભદેવ એપાર્ટમેન્ટમાં ૨૪ પરિવારો રહે છે, આ ઘટના દરમિયાન રિનોવેશન કરવા કામદારો ચા પિવા થોડીવાર બેઠા હતા, ત્યા જ આ ઘટના ઘટી હતી, કારણ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રિપેરિંગ, પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બિગેડનો સ્ટાફ દોડી ગયો હતો, કુલ ૧૯ લોકોના રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના પગલે આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ઘટનાના પગલે મ્યુ. અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવથી રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech