BREAKING NEWS

રાજ્ય સરકારે બકરી ઈદની રજા 27 મેના બદલે 28 મે જાહેર કરી

  • May 22, 2026 09:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે આગામી બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) ની જાહેર રજાની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ ૨૭ મે, ૨૦૨૬ (બુધવાર) ના રોજ રજા હતી, તેને સુધારીને હવે ૨૮ મે, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.





સામાન્ય વહીવટ વિભાગના જડત સચિવ જ્વલંત ત્રિવેદી દ્વારા હસ્તાક્ષરિત જાહેરનામા મુજબ, ૨૦૨૬ના વર્ષ માટે અગાઉના જાહેરનામામાં કરેલા સુધારા અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ હવે ૨૭ મેના રોજ સરકારી કચેરીઓ અને બેંકો ચાલુ રહેશે અને ૨૮ મેના રોજ બંધ રહેશે. આ ફેરફાર તમામ સરકારી કચેરીઓ, બેંકો, જાહેર સાહસો, બોર્ડ અને પંચાયત કચેરીઓને લાગુ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application