પોરબંદરના કોળીવાડમાં સસ્તા ભાડાની ચાલી આસપાસ સફાઇ કરવામાં આવતી નથી તેવો એક મહિલાએ આક્ષેપ કરીને રોષ વ્યકત કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી ત્યારે તે અંગે સેનીટેશન કમિટીના ચેરમેને એવું જણાવ્યુ હતુ કે, માણસોને સફાઇ કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની સાથે ગાળાગાળી સહિતનું વર્તન ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પોરબંદરના જાગૃતિબેન કકકડ નામના મહિલાએ તાજેતરમાં એવી ફરિયાદ કરી હતી કે કોળીવાડમાં સસ્તા ભાડાની ચાલી નજીકના વિસ્તારમાં નગરપાલિકાનું તંત્ર સાફસફાઇમાં ભેદભાવ દાખવી રહ્યુ છે. ત્યારે આ અંગે સેનીટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીએ એવું જણાવ્યુ છે કે પોરબંદરના કોઇપણ વિસ્તારમાં સાફસફાઇ અંગે કોઇપણ ફરિયાદ હોય તો માત્ર ફોટો મોકલવામાં આવે તો પણ અમે તાત્કાલિક સફાઇ કામદારોને મોકલીને સફાઇ કરાવીએ છીએ પરંતુ આ કિસ્સામાં ફરીયાદી મહિલા દ્વારા સેનીટેશન વિભાગના અમુક માણસો સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ હતુ અને ગાળો પણ અપાઇ હોવાનો આક્ષેપ કરીને આ પ્રકારનું વર્તન અયોગ્ય છે તેમ જણાવી તેના કારણે સફાઇ કામદારોએ સાફસફાઇની સફાઇ કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હોવાનું જણાવ્યુ હતુ અને કોઇપણ સફાઇ સૈનિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે અથવા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવશે તો સેનીટેશન વિભાગના ચેરમેન લાખાભાઇ ખુંટી સાંખી નહી લે તેમ જણાવી શહેરીજનોને પણ સફાઇ કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech