શહેરના કરણપરા વિસ્તારમાં આવેલા વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રૂ.૩.૨૫ લાખની રોકડ ચોરી કરી ગયા હતાં.મૂળ બગસરાના વતની વેપારી પરિવાર સાથે વતનમાં ગયા હતાં.દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.ચોરીના આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ બગસરાના વતની અને હાલ કરણપરા, શેરી નં .૨૬ માં આવેલ વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતાં જગદીશભાઇ રાજેન્દ્રભાઇ જોગી (ઉ.વ.૪૬) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં આશાપુરા મેઇન રોડ કાંઉ હોટલની બાજુમા શ્રીજી ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. ગઇ તા. ૧૩ ના હોળીનો તહેવાર પુર્ણ કરી તેઓની માતા બગસરા ખાતે રહેતા હોય જેથી ધુળેટીનો તહેવાર કરવા માટે સાંજના સમયે તેઓ પત્ની તથા બંને બાળકો તેમજ બહેન પ્રીતીબેન સાથે કારમાં ગયેલ હતાં. ધુળેટીના દિવસે ઘરે જ હતાં તે દરમિયાન બપોરના સમયે રાજકોટમાં તેમના ફ્લેટની ઉપરના માળે રહેતા મોહિતભાઇ સોનીએ ફોન કરી જણાવેલ કે, તમારા ફ્લેટના દરવાજાનો નકુચો તુટેલ અને દરવાજો ખુલ્લી હાલતમા છે. તેમજ લાઇટ પણ ચાલુ છે. જેથી તેઓએ બનાવની વાત અમીનમાર્ગ પર રહેતાં નાના ભાઈ રાકેશભાઈને ફોન કરી તાત્કાલિક ઘરે પહોંચવા માટે જણાવેલ હતું.
તેઓ પણ બગસરાથી પરીવાર સાથે રાજકોટ આવેલ હતાં. તેઓએ ચેક કરતા ઘરનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમાં અને તે ઘરમા ખુરશી ઉપર ૫ડયો હતો. તેમજ છોકરાઓના બેડરૂમમાં તપાસ કરતા પત્નીને ધંધાના રોકડા રૂપીયા ઘરે મુકવા માટે આપેલ તે રોકડા રૂ.૧.૩૫ લાખ જે કાળા કલરના પર્સમાં રાખેલ હતા. તેમજ છોકરાઓના બચતના મુકેલ રોકડા રૂ.૧.૯૦ લાખ જે ગ્રે કલરના પર્સમા મુકેલ હતા. આ બન્ને પર્સ તેની પત્નીએ ઘરમાં બાળકોના બેડરૂમના દીવાલમાં મારબલના બનાવેલ ખુલ્લા કબાટમાં કપડાની નીચે મુકેલ હતા. જેમાંથી કાળા કલરનું રૂપીયા સાહિતનું પર્સ ગાયબ હતું અને ગ્રે કલરના પર્સમાંથી રૂપીયા ગાયબ હતાં.
જેથી કોઈ અજાણ્યાં શખ્સો ફલેટના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ પણ રીતે તોડી ચોરી કરવાના ઇરાદે ઘરમા પ્રવેશ કરી મારા બાળકોના બેડરૂમના દીવાલમાં મારબલના બનાવેલ ખુલ્લા કબાટમાં કપડાની નીચે મુકેલ બન્ને પર્સમાં રાખેલ રોકડા રૂ. ૩.૨૫ લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech