BREAKING NEWS

ગુજરાતમાંમાં ફરી મોટા પાયે વહીવટી ફેરબદલ, ગેસ કેડરમાં બદલી-બઢતીનો ધમધમાટ, જુઓ કોને પ્રમોશન મળ્યું

  • May 28, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી ગુજરાત વહીવટી સેવા (ગેસ) કેડરમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, જુનિયર સ્કેલ વર્ગ-૧ના અનેક અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ મહેસૂલ તંત્રમાં લાંબા સમયથી ફરજ બજાવતા મામલતદાર વર્ગ-૨ના ૯ વરિષ્ઠ અધિકારીઓને ઉચ્ચ સ્કેલમાં બઢતી (પ્રમોશન) આપીને ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧માં સમાવવામાં આવ્યા છે. આ મોટા ફેરફારોને કારણે રાજ્યના મહેસૂલ, ચૂંટણી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના મહત્વના વિભાગોના વહીવટી સમીકરણો બદલાશે.


સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના મુખ્ય જિલ્લાઓ જેવા કે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, કચ્છ, ભાવનગર, જામનગર, સુરત, વલસાડ, મોરબી અને પાટણમાં વહીવટી ખાતાઓમાં મોટી અદલાબદલી થઈ છે. બદલી પામેલા અધિકારીઓને જિલ્લા પુરવઠા અધિકારી , ડેપ્યુટી કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટર, પ્રી-સ્ક્રુટિની ઓફિસર તેમજ મ્યુનિસિપલ વહીવટની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.


આ આખા વહીવટી ફેરબદલમાં ખાસ કરીને મહેન્દ્ર દેસાઈ, હેતલ વસૈયા, જેમિની ગઢિયા, અર્શી હાસમી, અમિત પરમાર, ડો. નીતિ ચરણ, ડી.પી. શાહ અને જે.એ. ચૌહાણ સહિતના પ્રભાવશાળી અધિકારીઓની નવી નિમણૂકો સચિવાલયમાં ભારે ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી એક જ સ્થાને સ્થિર રહેલા અધિકારીઓને બદલીને વહીવટી તંત્રમાં નવો લોહી અને ઉત્સાહ ઉમેરવાનો આ પ્રયાસ છે.


વહીવટી દ્રષ્ટિએ આ ફેરબદલનો સૌથી મહત્વનો ભાગ મામલતદાર વર્ગ-૨ માંથી ગેસ કેડરમાં થયેલી બઢતી છે. સરકાર દ્વારા નિયમોનુસાર ‘ડીમ્ડ ડેટ’ (અગાઉની અસર) ના આધારે ૯ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થાય છે:

પી.એફ. પટેલ,એસ.આર. બારિયા,એ.એન. શર્મા, એન.એસ. પરિતોષ, પી. મોડવાડિયા, પી.આર. સંગાડા, પી.એસ. ભુરિયા, ટી.સી. પટેલ, વાય.પી. ગઢવીને બઢતી મેળવનારા આ તમામ અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર, પ્રી-સ્ક્રુટિની ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવા સીધા પબ્લિક ડીલિંગ અને નિર્ણય લેવાની સત્તા ધરાવતા હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.


વહીવટી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, આ ફેરબદલ માત્ર એક શરૂઆત છે અને આગામી દિવસોમાં હજુ પણ કેટલાક અન્ય મહત્વના વિભાગોમાં મોટી બદલીઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વિકાસલક્ષી યોજનાઓ સાથે જોડાયેલા વિભાગો અને મહેસૂલ તંત્રમાં સરકાર વધુ સક્રિય અને પરિણામલક્ષી અભિગમ અપનાવવા માંગે છે. સરકારના આ મોટા નિર્ણય બાદ સચિવાલયથી લઈને જિલ્લા કક્ષાની કચેરીઓ સુધી વહીવટી ગોઠવણો અને ચાર્જ સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ નવી નિયુક્તિઓની સીધી અસર રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણ યોજનાઓ અને ફાઈલોની નિકાલ પ્રક્રિયાની ઝડપ પર સકારાત્મક રીતે જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application