જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય રીતે વિજયાદશમીના પવિત્ર દિવસે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો. રાવણ દહન પહેલા રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરમાં પરિભ્રમણ કરી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.

આ રાવણ દહન કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ શહેર અઘ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ અઘ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, વિમલ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ભુગડોમલ, જનરલ સેક્રેટરી કિશોરભાઇ સંતાણી, ઉપરાંત પૂર્વ પ્રમુખ ઓધવદાસ ભુગડોમલ, ઉપપ્રમુખ કરમચંદ ખટ્ટર, હરેશ ગનવાણી, કિશોર કોડવારા, પ્રકાશ હકાણી, મીતેશ ભદ્રા તેમજ ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, સેક્રેટરી કિશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ જેઠાલાલ, પરસોતમ કકનાણી, શ્રીમતી દ્રોપદી સંતાણી, લીગલ એડવાઇઝર મહેશ તખ્તાણી, કો-ઓડીનેટર પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધીંગાણી, ધનરાજ મંગવાણી, ચેતન શેઠીયા અને ભગવાનદાસ ભોલાણી જહેમત ઉઠાવી હતી.

આ ઉપરાંત દશેરા કમીટીમાં કરમચંદ્ર ખટ્ટર, અશોકકુમાર ખુબચંદાણી, મયુર જેસાણી, મહેશકુમાર ખુવા, અમીત લછાણી, હેમંત નેભાણી, ઇશ્ર્વરલાલ ભકતાણી, જયકુમાર સેવકરામ, રાજકુમાર ખીલાણી, રાજકુમાર કેવલરામાણી, કપીલ મેઠવાણી, કાંતિલાલ આસવાણી, કાંતિલાલ રામચંદ, આશીષ કાંજીયાણી, પીન્ટુ ભીમનદાસ, રોહીત નારવાણી, પ્રકાશ તુલસાણી, કમલેશ જ્ઞાનચંદાણી પણ જહેમત ઉઠાવી હતી.