ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સનદી અધિકારીઓની ચાર્જ સંબંધીત બદલાવ કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ડૉ. રાજેન્દ્ર કુમાર, આઈએએસ (2004, ગુજરાત કેડર) હાલ ટ્રાન્સપોર્ટ કમિશનર, ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને હવે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએસએફસી), વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે સંજીવ કુમારને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
રાજકુમાર બેનીવાલ, (2004, ગુજરાત કેડર)હાલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએનએફસી), ભરુચના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમને હવે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મલ ગુજરાત) તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કે.એલ. બાચાણી, આઈએએસ (2010) હાલ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર, ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને હવે અમદાવાદના સિવિલ એવિએશન કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે જ ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલ, આઇએએસને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી આદેશ સુધી અમલમાં રહેશે.