ભાવનગર જિલ્લાના સિહોર શહેરની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં આજે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે
સલામતીની ગંભીર અવગણના
આ ઘટના સિહોર જીઆઇડીસી વિસ્તારમાં સલામતીના ધોરણોની ગંભીર અવગણનાને ઉજાગર કરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા માટે જરૂરી સલામતી સાધનો અને પ્રોટોકોલ્સનો અભાવ જોવા મળે છે, જેના કારણે મોટેભાગે ગરીબ શ્રમિકોને આવી દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech