BREAKING NEWS

જામનગર : જામજોધપુરમાં એકલવાયા જીવનથી કંટાળી વૃઘ્ધે ટ્રેન હેઠળ પડતુ મુકયુ નાના લખીયા ગામમાં પિતાના ઠપકાથી લાગી આવતા પુત્રએ જીવતર ટુકાવ્યું

  • February 06, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરમાં ગઇકાલે એક વૃઘ્ધે એકલવાયા જીવનથી કંટાળીને ટ્રેન હેઠળ પડતુ મુકતા મૃત્યુ થયુ હતું, જયારે નાના લખીયા ગામની સીમમાં એક યુવાને પિતાના ઠપકાથી લાગી આવતા ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું.


ભાણવડના વાનાવડ ગામમાં રહેતા રમેશભાઇ મંગાભાઇ વેગડા (ઉ.વ.૫૦) નામના વૃઘ્ધ આશરે દસેક વર્ષથી તેમના પત્ની અને બાળકોથી અલગ રહેતા એકલવાયુ જીવન ગુજારતા હોય દરમ્યાન એકલવાયા જીવનથી કંટાળીને ગઇકાલે જામજોધપુર વિસ્તારમાં રેલ્વે પાટા પર જઇ પડતુ મુકી કપાઇ જતા મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મંગા પબાભાઇ વેગડાએ જામજોધપુર પોલીસમાં જાણ કરી હતી.
​​​​​​​

બીજા બનાવમાં મુળ એમપીના હાલ લાલપુરના નાના લખીયા ગામ વાડી વિસ્તારમાં રહેતા ખેતમજુરી કરતા રાહુલ જુવાનસીંગ મેળા (ઉ.વ.૧૯) નામના યુવાનને ગઇકાલે જમવા બાબતે બોલાવતા તે આવેલ નહી આથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો, આ બાબતનું રાહુલને મનમાં લાગી આવતા ઝાડની ડાળીમાં હીરની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે જુવાનસીંગ ભલસીંગ મેળા દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application