જામનગરમાં બેડી પાસે મનપા દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે, આ ઓવરબ્રીજ નીચે દર શનિવારે ગુજરી બજારની જેમ કપડા સહિતની ચિજવસ્તુના વેચાણ માટે બજાર ભરાય છે.
આ શનિવારી બજારને કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ વકરી છે, કારણ કે ઓવરબ્રીજ નીચે બજારને કારણે લારીધારકો અને પાથરણાવાળા માર્ગ પર અડીંગો જમાવી દે છે જેના કારણે ઓવરબ્રીજ નીચેના માર્ગ પરથી આવાગમન દુષ્કર બનતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે.