BREAKING NEWS

ચેલા સીમ વિસ્તારમાં શેઢે બાંધેલા તારમાં વીજ કરંટ લાગતા 8 ગાયના કરૂણ મૃત્યુ, ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ

  • November 19, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢા પરથી અડધો ડઝનથી વધુ ગાયોના મૃતદેહ મળી આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. વાડીના માલિકે કાંટાળી તરમાં વિજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી તમામ ગાયના વીજ શોકથી મૃત્યુ નીપજયા હોવાનું અનુમાન કરાયું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.


જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના સેઢા પર એકી સાથે  ૮ જેટલી ગાયો મૃત હાલતમાં જોવા મળી હતી, ઉપરાંત નજીકમાં અન્ય ગાયોના હાડપિંજર જેવા અવશેષો પણ દેખાયા હતા, તેથી અનેક ગૌ પ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો હતો, અને સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા. 


કેટલાક ગૌપ્રેમીઓએ તાબડતોબ વિડીયો બનાવી લઇ ચેલા ગામના આગેવાનને જાણ કરતાં તેમણે સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.
આથી પંચકોશી બી. ડિવિઝનના પી.આઇ. વી. એન. રાઠોડ અને તેઓની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સ્થળ પર જઈન નિરીક્ષણ કયુ હતું ઉપરાંત વાડીના સંચાલક રવી સતવારાને પોલીસ મથકે લઈ જઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન વાડી માલિકે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કયુ હોવાથી તે પાકના રક્ષણના ભાગપે કાંટાળી તારમાં પશુઓથી બચવા માટે ઝટકા મશીન મારફતે વીજ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે નજીક આવેલા પીજીવીસીએલના વીજ થાંભલામાંથી ડાયરેકટ વિજ જોડાણ મેળવીને વિજ પ્રવાહ ચાલુ કર્યેા હોવાથી એકીસાથે આટલી બધી ગાયોના મૃત્યુ થયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. સમગ્ર મામલામાં પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તપાસના અંતે વધુ વિગતો સ્પષ્ટ્ર થશે જેના આધારે પોલીસ દ્રારા આગળની કાર્યવાહી કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application