જ્યોર્જિયામાં તુર્કીએનું વાયુસેનાનું કાર્ગો વિમાન ક્રેશ થઈ ગયું હતું .રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અઝરબૈજાનથી તુર્કી પરત ફરતું જી -૧૩૦ લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થઈ ગયું હતું. મંત્રાલયે કહ્યું કે જ્યોર્જિયન અધિકારીઓ સાથે સંકલનમાં તપાસ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિમાનમાં કેટલા ક્રૂ સભ્યો સવાર હતા તે સ્પષ્ટ નથી, જોકે કેટલાક સ્થાનિક મીડિયા આ સંખ્યા ૨૦ જણાવી રહ્યા છે.
તુર્કીયે સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ જાહેરાત કરી. તેમણે કહ્યું, "અઝરબૈજાનથી ઘરે પરત ફરવા માટે ઉડાન ભરેલું અમારું સી-૧૩૦ લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયા-અઝરબૈજાન સરહદ પર ક્રેશ થયું. એક નિવેદનમાં, જ્યોર્જિયાના ગૃહ મંત્રાલયે તુર્કીના લશ્કરી વિમાનના ક્રેશની પુષ્ટિ કરી હતી અને મંત્રાલયે કહ્યું કે તે જ્યોર્જિયાની અઝરબૈજાન રાજ્ય સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઇલ) દૂર ક્રેશ થયું. આ દરમિયાન, રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રાજધાની અંકારામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમને આશા છે કે કાર્ગો વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછી જાનહાનિ થઈ હોય. તેમણે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તુર્કીયેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. વિડીયો ફૂટેજમાં વિમાન નીચે જોરદાર ગબડી રહ્યું હોવાનું અને ધુમાડાના વાદળો વચ્ચે ઘેરાઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ શોક સંદેશ જારી કર્યો
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવે પણ શોક પત્રમાં સૈનિકોના મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાને લશ્કરી કાર્ગો વિમાનના બચાવ કામગીરીમાં પણ મદદની ઓફર કરી છે. તુર્કીયે અને અઝરબૈજાન લાંબા સમયથી મજબૂત સંરક્ષણ સંબંધ ધરાવે છે. બંને દેશો નજીકના સાથી પણ છે.અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન દ્વારા ઉત્પાદિત સી-130, 1964 થી તુર્કી વાયુસેનાના કાફલાનો ભાગ છે. તુર્કી હાલમાં 19 સી-130ઈ અને સી-130બી હર્ક્યુલસ વિમાન ચલાવે છે. ઓક્ટોબરમાં, સંરક્ષણ મંત્રાલયે તેની ક્ષમતાઓ વધારવા માટે યુનાઇટેડ કિંગડમ પાસેથી વધુ 12 સી-130જે સુપર હર્ક્યુલસ લશ્કરી પરિવહન વિમાન ખરીદવાની યોજનાની જાહેરાત કરી હતી