સતત ત્રીજા દિવસે મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ગોહિલવાડમાં ઝાપટાથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.જેમાં વલભીપુરમાં પોણા બે, ઘોઘામાં અર્ધો,ભાવનગર શહેર,ઉમરાળા,સિહોર અને ગારિયાધારમાં પા ઇંચ, વરસાદ પડ્યો હતો.પાલીતાણા અને તળાજામાં ઝાપટા પડ્યા હતા.મહુવા અને જેસરમાં બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો.આમ,મંગળવારે બપોર બાદ વરસાદનું જોર ઓછુ થતાં લોકોને રાહત મળી હતી.
ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહયો છે. જિલ્લાના આઠ તાલુકામાં મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ઝાપટાથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બે તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો.આથી લોકોને રાહત થઈ હતી.
મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વલભીપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો.આથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ભાવનગર શહેરમાં પા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અગાઉ વરસેલા વરસાદના પાણી પણ અમુક વિસ્તારોમાં ઓસર્યા નથી.ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ઘોઘામાં બપોરથી રાત્રિ દરમિયાન અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે સિહોર,ઉમરાળા અને ગારિયાધારમાં પા -પા ઈંચ વરસાદ પડ્યો હતો. પાલીતાણામાં અને તળાજામાં ઝાપટા પડ્યા હતા. તો મહુવા અને જેસરમાં વરસાદે વિરામ લીધો હતો. મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં વલભીપુરમાં ૪૨, ઘોઘામાં ૧૩, ગારિયાધારમાં ૭, પાલીતાણામાં ૧,ઉમરાળામાં ૬, તળાજામાં ૪, ભાવનગરમાં ૯,સિહોરમાં ૭ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.
હજુ ૭૪ ગામોમાં અંધારપટ
ચોમાસુ સીઝનના પ્રથમ વરસાદમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેર જનજીવન પ્રભાવિત બન્યું છે. ભાવનગર જિલ્લામાં ૨ થી ૧૫ ઈંચ જેટલા વ્યાપક વરસાદથી અનેક ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાવનગર તાલુકાના ૫૭, મહુવા તાલુકાના ૪ અને પાલિતાણા તાલુકાના ૧૩ ગામો એમ કુલ મળી હજુ ૭૪ ગામોમાં બીજા દિવસે રાત્રીના વીજ પુરવઠો બંધ રહેતા અંધારપટ્ટ છવાયેલો જોવા મળ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદથી પી.જી.વી.સી.એલ.ના ખેતીવાડીના ૧૬૭ ફિડર, જ્યોર્તિગ્રામના ૧૧ ફિડર અને ઇન્ડસ્ટ્રિયલના ૫ ફિડર મળી કુલ ૧૮૩ ફિડરમાં વીજ પ્રવાહ પૂર્વવત થઇ શક્યો નથી. જિલ્લામાં ખોરવાયેલા વીજ વ્યવસ્થાપનને ફરીથી યોગ્ય કરવા ઙૠટઈક દ્વારા ૧૩૧ ટીમો કામે લગાડવામાં આવી છે.
જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ૪૯ લોકોને રેસ્ક્યુ કરાયા
ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કુલ ૪૯ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.જિલ્લામાં ડિઝાસ્ટર ટીમ, તાલુકા વહીવટીતંત્ર મહાનગરપાલીકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ફાયર ટીમ સતત ખડેપગે રહીને ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઉમરાળાના ગોલરામામાંથી ૨૦ લોકોને નગરપાલિકા તળાજા ફાયરની ટીમ, વલ્લભીપુરના ચમારડીમાંથી ૧૪ તેમજ વલ્લભીપુર શહેરમાંથી ૨ અને સિહોરના ડંભાળીયા-પાલડી રોડ પાસે ફસાયેલ ૯ અને મંગરાળામાંથી ૪ લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ૨ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાત્રીના સમયે શિહોરમાં પાલડી ડંભાળિયા રોડ પર ૪૯ લોકો ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા જેમાંથી ૪૦ લોકો પોતાની રીતે સલામત સ્થળે આવી ગયા હતા જ્યારે ૯ લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ટીમ તેમજ એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech