ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના બે પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિકટ જજ યુ.ટી દેસાઈ અને આર .ટી. વચ્છાણી સહિત ૮ ન્યાયાધીશોનો પણ સમાવેશ છે.
ન્યાયાધીશોની બદલી અને બઢતીના દોર વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં વધુ 8 ન્યાયાધીશોની નિમણૂકની દરખાસ્ત અન્વયે કોલેજીયમની ગઈકાલ તા. 19 માર્ચે મળેલી બેઠકમાં પ્રસ્તાવ વિચારણામાં લેવાયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં નવા ૮ ન્યાયાધીશોની ભલામણ મંજૂર કરવામાં આવી છે, તેમાં નામની ભલામણના પ્રસ્તાવને મંજૂરી રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજીસ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ, રામચંદ્ર ઠાકુરદાસ વચ્છાણી, ઉપરાંત લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, જયેશ લાખણશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ અને રોહનકુમાર કુંદનલાલ ચુડાવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech