શહેરની આજીડેમ ચોકડી નજીક આઈટીઆઈ હોસ્ટેલ પાસે આધેડ લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આધેડને પેટ અને હાથના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા માયર્િ હોવાનું જોવા મળતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ હોસ્પિટલએ પહોંચી પુછપરછ કરતા પોતાનું નામ ભુપેનભાઈ મણિલાલ આડેસરા (ઉ.વ.52) અને પ્રહલાદ પ્લોટ-10માં રહેતા હોવાનું બે અજાણ્યા શખસોએ છરીથી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે પરિવારજનોને જાણ કરી હતી. આધેડની હાલત ગંભીર હોવાથી ઓપરેશનમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પ્રહલાદ પ્લોટ-10માં રહેતા અને પેલેસ રોડ પર આવેલા કુબેર કોમ્પ્લેક્સમાં સોનીની દુકાન ધરાવતા ભુપેનભાઈ મણિલાલ આડેસરા (ઉ.વ.52) નામના આધેડ ગત રાત્રીના ઘરેથી જમીને આટો મારવા જવાનું કહી નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા રાહદારીની મદદથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બનાવની જાણ તેમના ભાઈને કરવામાં આવતા ભાઈ ભાભી હોસ્પિટલએ દોડી આવ્યા હતા. આધેડ મૂળ ધ્રોલના વતની છે અને ચાર ભાઈ ચાર બહેનમાં ચોથા છે. છૂટાછેડા થઇ જતા દોઢેક વર્ષથી પ્રહલાદ પ્લોટમાં એકલા રહે છે.
હોસ્પિટલના બિછાને રહેલા ભુપેનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, ગઈકાલે પોતે રિક્ષામાં બેસીને આજીડેમ ચોકડી પાસે આટો મારવા માટે ગયા હતા. ત્યાં સિગારેટ પીધા બાદ કોઈ અજાણ્યા શખ્સ સાથે માથાકૂટ થયા બાદ પોતે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી ચાલીને જતા હતા ત્યારે જેની સાથે માથાકૂટ થઈ હતી એ શખસ અને તેની સાથેનો વ્યક્તિએ આવી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પેટ, હાથ અને ગળાના ભાગે ઈજાઓ કરી આઇટીઆઈ હોસ્ટેલ પાસે ઝાળી ઝાંખરામાં નાખી દઈ શખસો નાસી ગયા હતા. જે બાદ પોતે બેભાન થઇ જતા કાંઈ ખબર રહી નહતી. પોતાની પાસેનો મોબાઈલ અને વસ્તુઓ પણ હેમખેમ છે. અજાણ્યા શખ્સો કોણ હતા અને શા કારણથી ઝગડો થતા હુમલો કર્યો હતો એ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech