Aajkaalteam
ગુજરાત સરકાર દ્વારા વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરતા રાજ્યના બે વરિષ્ઠ અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, નોન-SCS કેડરના બે અધિકારીઓને IAS તરીકે બઢતી આપી નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે.
કોને મળી નવી જવાબદારી?
સરકારના આદેશ મુજબ જે બે અધિકારીઓને IAS કેડર ફાળવવામાં આવી છે, તેમની વિગતો નીચે મુજબ છે:
૧. સુશ્રી અવની ચિત્તરંજન વોરા: તેઓ અત્યાર સુધી અમદાવાદ ખાતે 'ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલ'માં સભ્ય અને રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમની નિમણૂક ખેડા-નડિયાદ ખાતે 'સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર' (Supernumerary Additional Collector) તરીકે કરવામાં આવી છે.
૨. શ્રી ટેકચંદ ચતૃભુજ તીર્થાણી: તેઓ રાજકોટની એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાં 'જોઈન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ)' તરીકે કાર્યરત હતા. તેમને હવે રાજકોટ ખાતે જ 'સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર' તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે.