અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે બંને પક્ષો એક સાથે એકબીજા પર હત્પમલો કરી રહ્યા છે. ઈરાને દાવો કર્યેા છે કે તેની સેનાએ બુશેહર શહેર નજીક એક યુએસ ફાઇટર જેટને તોડી પાડું છે. ઈરાની સરકારી ટીવી પર કરવામાં આવેલા દાવાનો જવાબ આપતા અમેરિકાએ તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં ઈરાનના દાવાને નકારી કાઢો છે. ફેકટ ચેક ટાઈટલ વાળી પોસ્ટમાં સેન્ટકોમે લખ્યું છે કે, ઈરાની સરકારી ટીવીનો દાવો છે કે ઈરાની દળોએ બુશેહર શહેર નજીક એક યુએસ ફાઇટર જેટને તોડી પાડું હતું. આ સંપૂર્ણપણે ખોટું છે. સેન્ટકોમે આગળ લખ્યું છે કે, કોઈ યુએસ વિમાન તોડી પાડવામાં આવ્યું નથી. બધી યુએસ હવાઈ સંપત્તિ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ઈરાનના સરકારી ટીવીએ એક સ્થાનિક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે તેની એર ડીફેન્સ સિસ્ટમે
દક્ષિણ ઈરાનના બુશેહર નજીક બુશેહર વિસ્તારમાં એક ફાઇટર જેટને તોડી પાડું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના દરિયાકાંઠાના પ્રાંતની નજીક બની હતી.
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, જામ કાઉન્ટીના ગવર્નર મસૂદ ટાંગેસ્તાનીએ જણાવ્યું હતું કે બુશેહરના જામ વિસ્તારમાં એક યુએસ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, આજે રાત્રે બનેલી ઘટના દુશ્મનના વિમાનને તોડી પાડવા સંબંધિત હતી. શહેરમાં પરિસ્થિતિ હવે સામાન્ય છે.
આ દરમિયાન, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારનો ડ્રાટ તૈયાર હોવાનું જાણવા મળે છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાની વાટાઘાટકારો ૬૦ દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા અને પરમાણુ વાટાઘાટો ફરી શ કરવા સંમત થયા છે. આ કામચલાઉ કરાર અમેરિકન રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.
સોદા હેઠળ, અમેરિકા ઈરાનને તેલ વેચવાની મંજૂરી આપવા માટે કેટલાક પ્રતિબંધો હળવા કરવા પણ તૈયાર છે. કરારમાં એવી શરત પણ શામેલ હશે કે ઈરાન પરમાણુ શક્રો વિકસાવશે નહીં. યુદ્ધવિરામ દરમિયાન, બંને પક્ષો તેહરાનના સમૃદ્ધ યુરેનિયમને કેવી રીતે દૂર કરવું તે નક્કી કરશે. ઈરાનના સ્થિર ભંડોળની મુકિત પણ વાટાઘાટોમાં શામેલ છે.
ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ ૬૦ દિવસ માટે લંબાવવા માટે કરાર થયો છે. જોકે, આ સમજૂતી કરાર હજુ પણ અમેરિકન રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી માટે બાકી છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોને ટાંકીને દાવો કર્યેા છે કે અમેરિકા અને તેહરાન યુદ્ધવિરામ લંબાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો શ કરવા માટે સંમત થયા છે. અહેવાલ મુજબ, ડ્રાટ કરાર અંગે ઈરાનમાં ચર્ચા ચાલી રહી છે, અને મંગળવાર સુધીમાં, લગભગ બધું જ અંતિમ સ્વપ આપવામાં આવ્યું છે. જોકે, બંને પક્ષો (ઈરાન અને અમેરિકા) ના ટોચના નેતૃત્વને હજુ પણ તેને મંજૂરી આપવાની જર છે.
આ ૬૦ દિવસના યુદ્ધવિરામ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનો અવરોધ વિનાનો માર્ગ શામેલ છે. આનો અર્થ એ છે કે જો કોઈ કરાર થાય છે, તો ઈરાન આ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર ટોલ વસૂલ કરી શકશે નહીં. એક યુએસ અધિકારીએ એકિસઓસને જણાવ્યું હતું કે કોઈ પણ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવી શકશે નહીં અથવા તેને ડરાવી શકશે નહીં. ઈરાનને ૩૦ દિવસની અંદર જળમાર્ગમાં નાખેલી બધી ખાણો દૂર કરવાની પણ જર પડશે