છત્તીસગઢમાં પણ હવે બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ગણતંત્ર દિવસના અવસર પર બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષથી તમામ બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું આપવામાં આવશે.
સીએમ ભૂપેશ બઘેલની આ જાહેરાતને મોટી રાજકીય દાવ માનવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી હતી, પરંતુ સરકાર હવે આ યોજના લાવવાની વાત કરી રહી છે.
ગુરુવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે સંબોધન કરતા સીએમ ભૂપેશ બઘેલે જાહેરાત કરી હતી કે આગામી નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪થી બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
જો કે, સરકારે હજુ સુધી માહિતી નથી આપી કે કેટલું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે? ભથ્થું મેળવવા માટેની પાત્રતા શું હશે? આ માટે કેવી રીતે અરજી કરવી?
જોકે, છત્તીસગઢ પહેલા પણ ઘણા રાજ્યોમાં સરકારો બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થું આપી રહી છે. તેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવી સરકારોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે.
બેરોજગારી ભથ્થું ફક્ત તે જ લોકોને મળે છે જેઓ યુવાન છે અને તેમની પાસે કોઈ નોકરી નથી. પરિવારની વાર્ષિક આવક પણ ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત બેરોજગારી ભથ્થું મેળવવા માટે રાજ્ય સરકારની રોજગાર કચેરીમાં નોંધણી કરાવવી પણ જરૂરી છે. દરેક રાજ્યમાં બેરોજગારી ભથ્થું નિશ્ચિત સમય માટે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, એમપીમાં તે ત્રણ વર્ષ માટે ઉપલબ્ધ છે. જો કે આ દરમિયાન જો નોકરી લેવામાં આવે તો ભથ્થું બંધ થઈ જાય છે. બેરોજગારી ભથ્થું મેળવવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. આ માટે દરેક રાજ્ય સરકાર પાસે પોતાનું પોર્ટલ છે.
કયા રાજ્યમાં કેટલું બેરોજગારી ભથ્થું ઉપલબ્ધ છે?
ઉત્તર પ્રદેશ: બેરોજગાર હોવું જરૂરી છે. ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ. ઉંમર પણ ૨૧ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ. દર મહિને રૂ. ૧,૦૦૦ થી રૂ. ૧,૫૦૦ સુધીનું ભથ્થું મળે છે.
મધ્યપ્રદેશ: ઓછામાં ઓછું ૧૨મા ધોરણ સુધી ભણેલું હોવું જોઈએ. ઉંમર ૨૧ થી ૩૫ વર્ષની હોવી જોઈએ. આ સાથે પરિવારની વાર્ષિક આવક પણ ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. શિક્ષિત બેરોજગારોને દર મહિને ૧,૫૦૦ રૂપિયા અને ઓછા શિક્ષિત યુવાનોને ૧,૦૦૦ રૂપિયા ભથ્થા તરીકે મળે છે. બેરોજગારોને ત્રણ વર્ષ માટે ભથ્થું મળે છે.
બિહાર: ૧૦મા કે ૧૨મા સુધી ભણવું જરૂરી છે. બિહારમાં ૨૦ થી ૨૫ વર્ષના યુવાનોને દર મહિને ૧,૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળે છે. આ ભથ્થું બે વર્ષ માટે અથવા નોકરી ન મળે ત્યાં સુધી મળે છે.
હિમાચલ પ્રદેશ: ૧૨મા ધોરણ સુધી ભણ્યો હોવો જોઈએ. દર મહિને ૧,૦૦૦ રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. વિકલાંગ બેરોજગારોને રૂ. ૧,૫૦૦ મળે છે. આ બેરોજગારી ભથ્થું બે વર્ષ માટે ઉપલબ્ધ છે. ભથ્થું મેળવવા માટે ઉંમર ૨૧ થી ૩૫ વર્ષની હોવી જોઈએ. તેમજ પરિવારની વાર્ષિક આવક ૨ લાખથી ઓછી હોવી જોઈએ.
રાજસ્થાન: છોકરાઓને દર મહિને ૪,૦૦૦ રૂપિયા અને છોકરીઓને ૪,૫૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળે છે. ઓછામાં ઓછું ૧૨ ધોરણ સુધી ભણવું જરૂરી છે. ઉંમર ૨૧ થી ૩૫ વર્ષની હોવી જોઈએ. પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
આ પહેલા આવેલા એક રિપોર્ટ મુજબ દેશમાં કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર ૨૦૨૦ માં બેરોજરાગી દર ઘણો વધારે હતો. એનએસઓના ૧૩ સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર ૨૦૨૧ માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૯.૮ ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૧૦.૫ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૧૩.૧ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૧૧.૬ ટકા હતો. પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ માં ઘટી ૮.૩ ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં ૯.૫ ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ માં ૯.૩ ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર ૨૦૨૧ ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં ૪૭.૩ ટકા પર યથાવત રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL: દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યું
May 08, 2024 12:23 AMરણવીર સિંહના એક સ્ટેપએ ફેન્સને કર્યા ચિંતિત, દીપવીર વચ્ચે ફરી અણબનાવના સમાચાર આવ્યા સામે
May 07, 2024 11:44 PMડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં 3 શાકભાજી ખાવા જ જોઈએ, બ્લડ સુગર લેવલ ઝડપથી ઘટશે.
May 07, 2024 11:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech