પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થયેલા બિઝનેસમેન નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. નીરવે મંગળવારે બ્રિટનમાં નવી જામીન અરજી દાખલ કરી હતી જેને ન્યાયાધીશે ફગાવી દીધી હતી. નીરવ પાંચ વર્ષથી વધુ સમયથી લંડનની જેલમાં છે. ભારતે PNB કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી છે.
ભારતે નીરવ મોદીના પ્રત્યાર્પણની કરી છે માંગ
ભારતે PNB કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી છે. આ કેસમાં નીરવ પ્રત્યાર્પણનો કેસ હારી ગયો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ જાન જાનીએ પોતાના નિર્ણયમાં કહ્યું કે જામીન સામે પૂરતા આધારો છે. એવી આશંકા છે કે નીરવ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા તે કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર નહીં થાય.
જામીન ન આપી શકાયઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે આ કેસમાં છેતરપિંડીના આરોપો સામેલ છે. જામીન આપી શકાતા નથી અને અરજી નામંજૂર કરવામાં આવે છે. જોકે, કોર્ટે સ્વીકાર્યું હતું કે સાડા ત્રણ વર્ષ પહેલાં છેલ્લી જામીન અરજી બાદથી સંજોગો બદલાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપતંજલિ અને બાબા રામદેવ ફરી આવ્યા વિવાદમાં, કંપનીની સોનપાપડી ફૂડ ટેસ્ટમાં થઈ ફેલ
May 19, 2024 05:23 PMયુપી : ફુલપુરમાં રાહુલ અને અખિલેશની રેલીમાં હંગામો, નાસભાગમાં લોકો થયા ઘાયલ
May 19, 2024 04:54 PMરાજકોટ ચોટીલા હાઈવે પર કારમાં અચાનક ભભૂકી આગ, રાહદારીઓની મદદથી આગ પર મેળવાયો કાબુ
May 19, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech