પર્યાવરણનુ જતન: ડીવાયએસપી, પીઆઇ-પીએસઆઇના હસ્તે કરાયું વૃક્ષારોપણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા તાલુકાના વડત્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ડી.વાય.એસ.પી. વી.પી.માનસેતા, પી.આઈ બી.જે.સરવૈયા અને પી.એસ.આઈ એમ.આર.બારડ દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ખંભાળીયાના વડત્રા પોલીસ મથકે વડત્રા આઉટના પી.એસ.આઈ એમ.આર.બારડ દ્વારા પોલીસ મથકના પટાંગણમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે ડી.વાય.એસ.પી. વી.પી.માનસેતા, ખંભાળીયા પી.આઈ બી.જે.સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને પોલીસ પરિવાર દ્વારા 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે ડી.વાય.એસ.પી. માનસેતા, પી.એસ.આઈ એમ.આર.બારડ દ્વારા ખંભાળીયા તથા આસપાસના વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ તકે વડત્રા ગામના અગ્રણી રામશીભાઈ તથા પોલીસ જવાનો અને એસ.આર.ડી. જવાનો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech