વિજયભાઈને સજળ નયને અંતિમ વિદાય, અમિત શાહ ઋષભને આશ્વાસન આપતા ગયા, આજે બપોરે પ્રાર્થના સભા, જાણો સ્થળ અને સમય

  • June 17, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોના હૃદયમાં રાજ કરનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયા પછી ગઈકાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. વરસતા વરસાદમાં પણ લોકોએ કલાકો સુધી રસ્તાની બંને તરફ ઊભા રહીને પોતાના નેતાના અંતિમ દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સી. આર. પાટીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો ટોચના રાજકીય આગેવાનો સમાજના જુદા જુદા ક્ષેત્રના મોભીઓ અને મોટી સંખ્યામાં સામાન્ય જનતાએ અંતિમયાત્રામાં ભાગ લીધો હતો. વિજયભાઈ અમર રહોના નારા સાથે લાખો લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ વિદાય સમયે પોલીસ બેન્ડ દ્વારા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

રામનાથપરામા વિજયભાઈ પંચમહાભૂતમાં વિલીન થયા પછી અમિત શાહે વિજયભાઈના પુત્ર ઋષભને આશ્વાસન આપી રાજકોટથી રવાના થયા હતા.​​​​​​​


સ્મશાન ગૃહમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો

નિર્મલા કોન્વેન્ટ નજીક પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાનેથી નીકળેલી આ સ્મથાન યાત્રા રામનાથ પરા સ્મશાન ઘાટે પહોંચી હતી અને ત્યાં વિજયભાઈ ના પુત્ર રૂષભે મુખાગની આપી હતી. સ્મશાન ગૃહમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.


બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી પ્રાર્થનાસભા

આજે રાજકોટમાં બપોરે ત્રણ થી છ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તેમાં પણ હજારોની સંખ્યામાં લોકોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહ્યો હતો. ગુરુવારે ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર એકમાં સવારે સાત થી 12 પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભા રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News