વિરાટ કોહલી આજે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા રાધાકેલુકુંજ આશ્રમ પહોંચ્યા હતા. તેઓ સવારે લગભગ છ વાગ્યે ત્યાં પહોંચ્યો હતા અને સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્યાં રોકાયા હતા. આશ્રમમાંથી બહાર આવ્યા બાદ કોહલીએ બારાહ ઘાટના સંત પ્રેમાનંદના ગુરૂ ગૌરાંગી શરણ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.
કોહલી આ પહેલા પણ ઘણી વખત તેની પત્ની અને બાળકો સાથે વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યા છે. છેલ્લી વાર જ્યારે કોહલી વૃંદાવન ગયા હતા ત્યારે તેમનો પુત્ર અકાય પણ તેમની સાથે હતો, જેનો ચહેરો દુનિયાએ પહેલી વાર જોયો હતો. જ્યારે પણ ક્રિકેટરની કારકિર્દીમાં પડકારો અને સંઘર્ષનો સમય આવ્યો ત્યારે તે હંમેશા અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લેતા અને તેમના આશીર્વાદ લેતા.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તેની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટના સંઘર્ષ અને સમર્પણની પ્રશંસા કરી. તેણીએ લખ્યું કે તે હંમેશા વિરાટની પડખે ઉભી રહી અને તેના સંઘર્ષોને સમજતી. પોસ્ટમાં, અનુષ્કાએ વિરાટને પોતાનું 'ઘર' ગણાવ્યું અને કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તેને તેના જીવનસાથી તરીકે મળ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech