વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સગં દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાને પગલે આજે વિરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી બ મંદિરે આવી માફી માગે તેવી રોષ સાથે માગ કરવામાં આવી છે.
વિરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે વિરપુર (જલારામ) સડ બધં રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી બ માફી માગે, જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ ૬ માર્ચના જાહેર કરવામાં આવશે.
સ્વામિનારાયણ ભકતોના ગ્રુપમાં એક પીડીએફ શેર કરવામાં આવી છે. જેમાં સતં જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. પીડીએફમાં અખબારનાં કટિંગ પણ શેર કરવામાં આવ્યાં છે. પુસ્તકમાં ગુણાતીતાનદં સ્વામી દ્રારા વિરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતં શ્રી જલારામ દ્રારા ગુણાતીતાનદં સ્વામી સહિતના સતં મંડળને જમાડા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુણાતીતાનદં સ્વામી દ્રારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, ગુણાતીતાનદં સ્વામી દ્રારા સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા પીડીએફમાં શેર કરવામાં નથી આવ્યા.
વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે. બીજી તરફ વિરપુર જલારામમાં રહેતા ભકતોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કયુ છે એ સાહિત્ય લઈને વિરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતમાં સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી, માં એક માત્ર લય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યેા રહેશે. નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભકતોની લાગણી દુભાઇ છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યકત કર્યેા છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,સતં શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં શત–શત વંદન. સાથે મારી વાત રજૂ કં છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસગં મેં વાંચ્યો હતો. એ જ પ્રસગં એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેયુ, અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યેા કયા અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યકિતને મારી વાત દુ:ખદ લાગી હોય, તો હત્પં સાચા દિલથી માફી માગું છું.તેમણે વધુમાં જણાવ્યું કે, આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech