રાજકોટ પંથકમાં સહારા ઈન્ડિયાની જમીનના ઝોન ફેરફારમાં ૫૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચારના આક્ષેપો મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ કરેલા બદનક્ષીના કેસમાં ગાંધીનગર કોર્ટમાં ગેરહાજર રહેતા ત્રણેય કોંગી અગ્રણી વિદ્ધ વોરટં કાઢવાનો હત્પકમ થયો છે.
આ અંગેની હકીકત મુજબ જે તે સમયે અલગ અલગ અખબારી અહેવાલોમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી પ્રેસનોટ સ્વપે તેમજ કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા કંપનીની જમીન સ૨કાર કરવાના બદલે જમીનમાં ઝોન ફેર કરી .૫૦૦ કરોડથી વધારે રકમનું કૌભાંડ આચયુ હોવાના આક્ષેપો કર્યા હતા, આ તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો ગણાવી પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ વિરોધ પક્ષના કોંગી નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષભાઇ પરમાર, દંડક સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિદ્ધ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
જે સંદર્ભે ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવતા કોંગ્રેસના ચારેય આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી રદ થઈ હતી.
બાદમાં બદનક્ષી કેસમાં કોંગ્રેસ અગ્રણીઓ પ્લી નોંધવા કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી ગાંધીનગર કોર્ટે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા વિદ્ધ ધરપકડ વોરટં કાઢતો હત્પકમ કર્યેા છે
આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તરફે અભય ભારદ્રાજ એન્ડ એસોસિએટસનાં અશં ભારદ્રાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્રાજ, જીજ્ઞેશ વિ૨ાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને ગાંધીનગરના એડવોકેટ અલ્પેશ ભટ્ટ રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech