રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇ-બસ એમ કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસહ્ય ગરમી અને તડકાની પરિસ્થિતિને પગલે પરિવહન કરતા શહેરીજનો માટે તમામ BRTS બસ શેલ્ટર્સ તથા તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હાલમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈ જાહેર પરિવહન સેવાના મુસાફરોને અસહ્ય ગરમીમાં રાહત મળે તે હેતુથી તમામ BRTS બસ શેલ્ટર્સ પર એર કુલર મુકવામાં આવ્યા છે ઉપરાંત પીવાના પાણીના જગ તેમજ ORS મુકવામાં આવેલ છે. તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORS પણ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ત્રિકોણબાગ ખાતેના સિટી બસ કંટ્રોલરૂમ ખાતે પણ ORS થતા પીવાના પાણીના જગ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech