મચ્છુ ૨ ડેમના ગેટ રીપેરીંગ અને બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમનું પાણી છોડવામાં આવે છે જેનાથી મીઠા એકમોને નુકશાન થતું હોવાની ફરિયાદ સાથે મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીસેશન દ્રારા જીલ્લ ા કલેકટર અને સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.
મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીસેશનના પ્રમુખ દિલુભા જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે મચ્છુ ડેમ ૨ ના રીપેરીંગ અને ગેટ બદલવાની કામગીરી કરવા હેતુ મચ્છુ ડેમના દરવાજા ખોલવાની વોનિગ મેસેજ આપેલ છે મચ્છુ નદીનું પાણી સુધી જ મીઠાના એકમોમાં આવે છે અને મચ્છુ ડેમનું પાણી છોડવાથી મીઠા ઉધોગને મોટું અસહ્યનીય નુકશાન વેઠવું પડે છે તેવી પરિસ્થિતિ થાશે હાલ મીઠા ઉત્પાદનની સીઝન હોવાથી પાણી આવતા મીઠાના ઉત્પાદનની કાર્યવાહીને નુકશાન થશે અને અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જશે હાલ મીઠાની સીઝન હોવાથી મીઠા ઉત્પાદન પ્રવૃતિમાં નુકશાન ના થાય તેવી રીતે કાર્યવાહી કરવા માંગ કરી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech