ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. જો ત્વચાની યોગ્ય કાળજી નહીં રાખો તો ખીલ, પિમ્પલ્સ અને ડાર્ક સ્પોટ જેવી સમસ્યાઓ થવા લાગશે. જે લોકોને વધારે પડતી સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની આદત નથી તેઓ સ્કિન મિસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેનાથી ત્વચા સંપૂર્ણપણે હાઇડ્રેટ રહેશે.
સ્કિન એક્સપર્ટ કહે છે કે ફેશિયલ મિસ્ટ મહિલાઓની સાથે સાથે પુરુષો માટે પણ જરૂરી છે. તેની મદદથી શુષ્ક ત્વચાની સમસ્યામાંથી રાહત મળે છે. દિનચર્યામાં સ્કીન કેર માટે ફેશિયલ મિસ્ટનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર પણ બનાવી શકે છે. જાણો ફેશિયલ મિસ્ટ શું છે અને તે ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે?
ફેશિયલ મિસ્ટ શું છે?
સ્કિન એક્સપર્ટ કહે છે કે ફેસ મિસ્ટ એક પ્રકારનો સ્પ્રે છે. તે જડીબુટ્ટીઓ, વિટામિન્સ અને વિવિધ કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે. ફેસ મિસ્ટ શુષ્કથી લઈને તૈલી સુધી તમામ પ્રકારની ત્વચા માટે સારી છે. બજારમાં ઘણા પ્રકારના ફેસ મિસ્ટ ઉપલબ્ધ છે. તેને ગુલાબજળથી પણ બનાવી શકો છો. જાણો તેના ફાયદા.
ત્વચા હાઇડ્રેટેડ રહેશે
ફેસ મિસ્ટ તેના હાઇડ્રેટિંગ ગુણધર્મો માટે જાણીતુ છે. તેની વિશેષતા એ છે કે તે ક્રીમ અથવા તેલ કરતાં હળવા હોય છે. જે લોકોની ત્વચા શુષ્ક હોય તેમના માટે ફેશિયલ મિસ્ટ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફેશિયલ મિસ્ટનો દિવસમાં બે વાર ઉપયોગ કરી શકાય છે.
ત્વચાને સ્વસ્થ રાખે છે
ગુલાબ અને એલોવેરામાંથી બનાવેલ ફેસ મિસ્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા તેના ગુણો માટે જાણીતું છે. જે ત્વચાને પ્રદૂષણથી બચાવે છે. આ ઉપરાંત ફેશિયલ મિસ્ટ લાલાશ, બળતરા અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે.
એંટી એજિંગ ગુણ
ફેશિયલ મિસ્ટનો નિયમિત ઉપયોગ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરી શકે છે. ઘણી ફેશ મિસ્ટ ખાસ કરીને ત્વચાના છિદ્રોને કડક કરવા અને કરચલીઓ ઘટાડવા માટે બનાવવામાં આવે છે. ત્યારે જો કરચલીઓ અને ફાઈન લાઈન્સ સંબંધિત કોઈ સમસ્યા હોય તો બોડી મિસ્ટનો ઉપયોગ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech