જમ્યા પછી મુખવાસ ખાવામાં આવે છે. મુખવાસ દાંતને સાફ કરવામાં મદદ કરે છે અને બ્રિથિંગને ફ્રેશ કરે છે. કેટલાક લોકો ઘરે મુખવાસ બનાવીને સ્ટોર કરતા હોય છે અને જમ્યા બાદ મુખવાસ ખાવાનું પસંદ કરે છે. જો તમે રેસ્ટોરન્ટમાં ટેબલ પર જોશો તો મુખવાસ જોવા મળશે. અમુક લોકો વિચારતા હશે કે ભોજન બાદ મોંને ફ્રેશ રાખવા માટે તેને ખાવામાં આવે છે. મુખવાસ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ આરોગ્ય માટે પણ ઘણો લાભદાયી છે. તો ચાલો જાણીએ મુખવાસ ખાવાના અનેક ફાયદા વિશે...
જમીને મુખવાસ ખાવાના અનેક ફાયદા છે, જે પાચન અને મોઢાના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે
પાચન સુધારે છે: મુખવાસમાં સામાન્ય રીતે વરીયાળી, સૌફ, એલચી, સોપારી વગેરે હોય છે, જે પાચન ક્રિયા માટે લાભદાયી હોય છે. તે જઠરાગ્નિને સક્રિય કરે છે અને ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે.
મોઢામાં તાજગી: મુખવાસ મોઢામાં તાજગી લાવે છે અને કોઈપણ દુર્ગંધ દૂર કરે છે.
મોઢાના બેક્ટેરિયાને નાબૂદ કરે છે: મુખવાસમાં રહેલાં ઘટકોમાં જીવાણુવિરોધક ગુણધર્મો હોય છે, જે મોઢામાં બેક્ટેરિયાને નાબૂદ કરવામાં મદદ કરે છે.
ભોજન પછીનાં ગેસ અને એસિડિટીને ઘટાડે છે: મુખવાસ ગેસ, એસિડિટી અને અન્ય પાચન સંબંધિત તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech